Chaitra Navratri Day 4 : નવરાત્રી માં કુષ્માંડા પૂજા: નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડા ની પૂજા, જાણો સંપૂર્ણ વિધિ અને મંત્ર

Chaitra Navratri Day 4 : માં કુષ્માંડા ની પૂજા-ઉપાસના

by kalpana Verat
Chaitra Navratri 4 Day 2024 Navratri 4th Day, Maa Kushmanda puja vidhi, mantra,

News Continuous Bureau | Mumbai

Chaitra Navratri Day 4 :   નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડા (Maa Kushmanda) ની પૂજા-ઉપાસના કરવાનો વિધાન છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માં કુષ્માંડા ની પૂજા અને ઉપાસના કરવાથી ભક્તોના તમામ પ્રકારના રોગ, કષ્ટ અને શોક સમાપ્ત થઈ જાય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી 9 દિવસના બદલે 8 દિવસની છે. નવરાત્રી પર દરરોજ દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

Chaitra Navratri Day 4 : માં કુષ્માંડા નું સ્વરૂપ

માં કુષ્માંડા નું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને દિવ્ય છે. તેમની આઠ ભુજાઓ છે, જેમાં કમંડલ, ધનુષ, બાણ, કમલનું ફૂલ, અમૃત કલશ, ચક્ર, ગદા અને જપ માળા ધારણ કરેલી છે. માં સિંહની સવારી કરે છે. તેમનું આ સ્વરૂપ શક્તિ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે

Chaitra Navratri Day 4 : પૂજા નું મહત્વ

વિશેષ રૂપે માનવામાં આવે છે કે માંની કૃપાથી ભક્તોના જીવનમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. દેવી કુષ્માંડા રોગોનો નાશ કરતી અને આયુષ્યમાં વૃદ્ધિ કરતી માનવામાં આવે છે. માં કુષ્માંડા ની પૂજા કરવાથી ભક્તોના તમામ રોગ, દુઃખ અને કષ્ટ સમાપ્ત થઈ જાય છે. તેમની પૂજાથી આયુષ્ય, યશ, બળ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે

Chaitra Navratri Day 4 : માં કુષ્માંડા ની પૂજા વિધિ

 સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને તમારા પૂજન સ્થળને શુદ્ધ કરો. માં કુષ્માંડા ની પ્રતિમા અથવા ચિત્રને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. માંનું ધ્યાન કરીને તેમને આમંત્રિત કરો. આ ધ્યાન કરતી વખતે માંના દિવ્ય સ્વરૂપની કલ્પના કરો. ત્યારબાદ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. પછી માંને સુંદર વસ્ત્ર, ફૂલ, માળા અને આભૂષણ અર્પણ કરો. વિશેષ રૂપે, કુમ્હડો (કદૂ) નો ભોગ માંને અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. માંને ભોગમાં મિષ્ઠાન્ન, ફળ, નાળિયેર અને વિશેષ ભોગ અર્પણ કરો. માં કુષ્માંડા ને સફેદ વસ્તુઓનો ભોગ લગાવવો શુભ હોય છે. અંતે માંની આરતી ઉતારો અને તેમને દીપક, ધૂપ અને સુગંધ અર્પણ કરો.

આ સમાચાર પણ વાંચો : Chaitra Navratri 2025 : ચૈત્ર નવરાત્રી 2025 ભોગ લિસ્ટ: નવરાત્રીના 9 દિવસ માં દુર્ગાને આ વસ્તુઓનો ભોગ લગાવો, મળશે આશીર્વાદ

Chaitra Navratri Day 4 :   માં કુષ્માંડા ના મંત્ર

 या देवी सर्वभूतेषु मां कुष्मांडा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More