Site icon News Continuous Bureau | Mumbai

Chhath Puja: છઠ પૂજાનો નિયમ: વ્રતમાં ન કરો આ ભૂલ, નહીં તો બધી મહેનત જશે પાણીમાં.

આજે 25મી ઓક્ટોબરથી ચાર દિવસીય છઠ મહાપર્વનો પ્રારંભ; પરિવારની ખુશી અને સંતાનની લાંબી ઉંમર માટે રખાતા આ કઠિન વ્રતમાં આ નિયમોનું પાલન કરવું જરૂરી.

Chhath Puja છઠ પૂજાનો નિયમ વ્રતમાં ન કરો આ ભૂલ, નહીં તો બધી મહેનત જશે પાણીમાં.

Chhath Puja છઠ પૂજાનો નિયમ વ્રતમાં ન કરો આ ભૂલ, નહીં તો બધી મહેનત જશે પાણીમાં.

News Continuous Bureau | Mumbai

Chhath Puja છઠ પૂજાનો સીધો સંબંધ સૂર્યદેવ સાથે છે. આ પર્વમાં લોકો સૂર્યદેવની આરાધના કરે છે. હિંદુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્વ છે. ચાર દિવસ સુધી ચાલતા છઠ વ્રતની શરૂઆત આજે એટલે કે 25મી ઓક્ટોબરથી નહાય ખાય સાથે થઈ રહી છે. આ દરમિયાન ઘણા કઠિન નિયમોનું પાલન કરવું પડે છે. મુખ્યત્વે આ પર્વ બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેશના ખૂણે-ખૂણે અને વિદેશોમાં પણ તેની ધૂમ જોવા મળે છે. છઠ પર્વના પહેલા દિવસે જાણો કે આ ચાર દિવસીય વ્રત દરમિયાન કઈ કઈ બાબતો ન કરવી જોઈએ:

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?

છઠ પૂજા દરમિયાન ન કરવા જેવી ભૂલો

અર્ઘ્ય વિના ભોજન નહીં: જે મહિલાઓ વ્રત રાખે છે, તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય (જળ) આપ્યા વિના કંઈપણ ખાય નહીં. સાથે જ, તેમણે જમીન પર જ સૂવું જોઈએ.
ધાતુના વાસણો ટાળો: પૂજા દરમિયાન કોઈપણ પ્રકારના ધાતુના વાસણોનો ઉપયોગ ન કરવો. છઠ પૂજામાં માત્ર માટીના ચૂલા અને માટીના વાસણોનો જ ઉપયોગ કરવો યોગ્ય છે. ચાંદી, સ્ટીલ, પિત્તળ કે પ્લાસ્ટિકના વાસણોથી દૂર રહો.
પ્રસાદને એઠું ન કરો: છઠ પૂજા માટે તૈયાર થતા પ્રસાદને એઠું ન કરવું. પ્રસાદ બનાવતા પહેલા અને બનાવતી વખતે કંઈપણ ખાવું નહીં.
સફાઈનું ધ્યાન રાખો: છઠ પૂજામાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. પોતાને પણ સ્વચ્છ રાખો અને તમારી આસપાસ પણ ગંદકી ન થવા દો. પૂજા સાથે જોડાયેલી કોઈપણ વસ્તુને સ્વચ્છ હાથથી જ સ્પર્શ કરવો.
તાંમસિક આહારથી દૂર રહો: પૂજા દરમિયાન માત્ર સાત્વિક આહાર જ લેવો. માંસ, લસણ અને ડુંગળી જેવા તાંમસિક આહારથી દૂર રહેવું.
પૂજા સ્થળે ભોજન ન કરો: જ્યાં તમે પ્રસાદની તૈયારી કરો છો અથવા પ્રસાદ બનાવો છો, ત્યાં ક્યારેય ભોજન ન કરવું. આ જગ્યાને હંમેશા સાફ રાખવી.
અપશબ્દો ન બોલો: જે લોકો વ્રત રાખે છે, તે લોકોએ અપશબ્દો ન બોલવા. શાંત રહેવું અને શાંત મનથી જ પૂજા-અર્ચના કરવી.

Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Shravan 2026 Precautions પવિત્ર શ્રાવણ માસમાં ભુલથી પણ ન કરો આ ભૂલો, જાણો પૂજાના ખાસ નિયમો
Exit mobile version