Site icon News Continuous Bureau | Mumbai

Rajyog: આજથી દિવાળી સુધી દરરોજ શુભ મુહૂર્ત, આ રાજયોગોમાં ખરીદી કરવાનું વિશેષ મહત્ત્વ!

Rajyog : ભારત દેશમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. દિવાળી નિમિત્તે તહેવારના એક સપ્તાહ પહેલાથી જ દુકાનોમાં ગ્રાહકોની નોંધપાત્ર ભીડ જોવા મળતી હોય છે. ધનતેરસ નિમિત્તે લોકો સોના-ચાંદી સહિતના દાગીનાની વિશેષ ખરીદી કરતા હોય છે, જેના કારણે ધનતેરસ પર બજારોની જાહોજલાલી જોવા જેવી છે, જે ખરીદી માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

Daily auspicious muhurt from today till Diwali, special importance of shopping in these Rajyogs

Daily auspicious muhurt from today till Diwali, special importance of shopping in these Rajyogs

News Continuous Bureau | Mumbai

Rajyog : ભારત દેશમાં દિવાળીની ( Diwali ) ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. દિવાળી નિમિત્તે તહેવારના એક સપ્તાહ પહેલાથી જ દુકાનોમાં ગ્રાહકોની નોંધપાત્ર ભીડ જોવા મળતી હોય છે. ધનતેરસ ( Dhanteras ) નિમિત્તે લોકો સોના-ચાંદી ( Gold and silver ) સહિતના દાગીનાની વિશેષ ખરીદી કરતા હોય છે, જેના કારણે ધનતેરસ પર બજારોની જાહોજલાલી જોવા જેવી છે, જે ખરીદી માટેનો સૌથી શુભ દિવસ ( good day ) માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસનું મહત્ત્વ વધુ વધી શકે છે. ખરેખર, ધનતેરસ-દિવાળીના થોડા દિવસો પહેલા, ખરીદી માટે ખૂબ જ શુભ તકો સર્જાઈ રહી છે. આ શુભ સમય દરમિયાન કરવામાં આવેલી ખરીદી અપાર સુખ અને સમૃદ્ધિ લાવશે. જ્યોતિષ શાસ્ત્ર ( Astrology ) અનુસાર, દિવાળી સુધી દરરોજ કોઈને કોઈ રાજયોગ અથવા શુભ યોગ રહેશે.

Join Our WhatsApp Channel

7થી 12 નવેમ્બર સુધી દરરોજ શુભ યોગ

આ શુભ મુહૂર્ત માત્ર ખરીદી કરવા માટે જ શુભ નથી, આ સિવાય નવા કામ કે ધંધાની શરૂઆત કરવા માટે પણ શુભ છે. વાસ્તવમાં, 7 નવેમ્બરથી 12 નવેમ્બર, 2023 સુધી દરરોજ કેટલાક શુભ યોગ – શુક્લ, બ્રહ્મા, ઈન્દ્ર, સ્થિર, પ્રીતિ, આયુષ્માન, સૌભાગ્ય, દામિની, ઉભયચારી, વરિષ્ઠ, સરલ, શુભકર્તરી, ગજકેસરી અને સર્વાર્થસિદ્ધિ વગેરેની રચના થઈ રહી છે. આ મુહૂર્તો ખરીદી અને નવા કામ માટે વિશેષ અને શુભ માનવામાં આવે છે.

ધનતેરસ પર 4 રાજયોગ

આ બધામાં સૌથી શુભ સમય દિવાળી પહેલા 10મી નવેમ્બર 2023, ધનતેરસનો હશે. ધનતેરસના દિવસે 4 રાજયોગ અને 1 શુભ યોગ બની રહ્યો છે. આ રીતે, ધનતેરસ પર 5 શુભ યોગોના મહાન સંયોગને કારણે, આ દિવસ સોનું, ચાંદી, પિત્તળના વાસણો વગેરેની ખરીદી તેમ જ નવા કાર્યની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Diwali Bonus: દિવાળી પહેલા આ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આવી ખુશખબર, રૂ. 7 હજારનું મળશે દિવાળી બોનસ!

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vastu Tips Shape Of Roti વાસ્તુશાસ્ત્ર રોટલી વણતી વખતે ન કરો આ ભૂલો, ઘરમાંથી ગાયબ થઈ શકે છે બરકત!
Chaturmas start date rules ૨૪ કે ૨૫ જુલાઈ ક્યારે શરૂ થઈ રહ્યો છે ચાતુર્માસ? જાણો આ દરમિયાન શું કરવું અને શું ન કરવું
Chaturmas Significance ચતુર્માસનું આધ્યાત્મિક મહત્વ શા માટે આ 120 દિવસો માનવામાં આવે છે વર્ષનો સૌથી પવિત્ર કાળ?
Gold and Silver Coins as Prasad ભારતના આ મંદિરમાં દાન આપનારને પરત મળે છે કિંમતી સોનાચાંદી, જાણો ક્યાં આવેલું છે ચમત્કારિક મંદિર.
Exit mobile version