Site icon

Dev Uthani Ekadashi 2023: આ દિવસે ઊજવાશે દેવઉઠી એકાદશી, ભગવાન વિષ્ણુની ભક્તિનું મહત્ત્વ, જાણો પૂજા પદ્ધતિ અને શુભ સમય વિશે

Dev Uthani Ekadashi 2023: હિંદુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશી ઊજવવામાં આવે છે. આ એકાદશી 24 એકાદશીઓમાંની એક સૌથી મહત્ત્વપૂર્ણ એકાદશી છે.

When is Dev Uthani Ekadashi Date, puja rituals and significance

When is Dev Uthani Ekadashi Date, puja rituals and significance

News Continuous Bureau | Mumbai

Dev Uthani Ekadashi 2023: હિંદુ ધર્મમાં દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi) નું ઘણું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ દેવઉઠી એકાદશી ઊજવવામાં આવે છે. આ એકાદશી 24 એકાદશીઓમાંની એક સૌથી મહત્ત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ (Lord vishnu) ની પૂજા માટે સમર્પિત છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 23 નવેમ્બર, 2023ના રોજ ઊજવવામાં આવશે.

Join Our WhatsApp Community

તારીખ અને પૂજાનો સમય:

એકાદશી તિથિ 22 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 11:03 વાગ્યે શરૂ થાય છે અને 23 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 09:01 વાગ્યે સમાપ્ત થાય છે. પૂજાનો સમય સવારે 06:50થી 08:09 અને પારણાનો સમય 24 નવેમ્બર, 2023ના રોજ સવારે 06:51થી 08:57 સુધી રહેશે.

દેવઉઠી એકાદશીનું મહત્ત્વ

હિંદુ ધર્મમાં દેવઉઠી એકાદશીને સૌથી પવિત્ર અને મહત્ત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. તેને પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે, ભક્તો ભગવાન વિષ્ણુની ભક્તિભાવ સાથે પૂજા (Puja) કરે છે અને ઉપવાસ રાખે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, કારતક મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના પછી જાગશે, જેને ચાતુર્માસ (Chaturmas) તરીકે ઓળખવામાં આવે છે. તેમ જ આ દિવસથી જ તમામ શુભ કાર્યોની શરૂઆત પણ થશે.

આ સમાચાર પણ વાંચો : Glowing Skin : હળદરમાં આ 2 વસ્તુઓ મિક્સ કરીને બનાવો ફેસ પેક, સરળતાથી દૂર થઇ જશે દાગ-ધબ્બા…

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.) 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Tulsi Vivah 2025: તુલસી વિવાહ ૨૦૨૫: આ શુભ યોગમાં થશે તુલસી માતાના લગ્ન, નોંધી લો પૂજાનું યોગ્ય મુહૂર્ત
Amla Navami: આમળા નવમી ૨૦૨૫: આ દિવસે માત્ર એક ખાસ ઉપાય કરો, જીવનભર વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ
Gopashtami: ગોપાષ્ટમી 2025: શ્રી કૃષ્ણએ કયા શુભ દિવસે પહેલી વાર ગાયો ચરાવી? જાણો તે સમયનો રસપ્રદ કિસ્સો
Chhath Puja: અસ્ત થતા સૂર્યની આરાધના,છઠ પૂજા 2025ના ત્રીજા દિવસની વિધિ, મુહૂર્ત અને મહત્વ
Exit mobile version