Mahashivratri : આજે છે મહાશિવરાત્રી, ભગવાન શિવની પૂજા કરવા માટે મળશે આટલો જ સમય, જાણો શુભ સમય અને પૂજા વિધિ..

Mahashivratri : દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 08 માર્ચ (મહાશિવરાત્રી 2024) ના રોજ ઉજવવામાં આવશે. દેશભરમાં મહાશિવરાત્રીના દિવસે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિવત રીતે પૂજા કરવાથી ભક્તને શુભ ફળ મળે છે અને તેના જીવનમાં ખુશીઓ આવે છે.

by kalpana Verat
Mahashivratri Know Shubh muhurat, puja timings and vidhi for lord shiva

News Continuous Bureau | Mumbai 

Mahashivratri : મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે. કહેવાય છે કે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ( Lord Shiva ) ને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. આ દિવસે જેને મહાદેવની કૃપા મળે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આ વર્ષે મહાશિવરાત્રી ( Mahashivratri 2024 ) નો તહેવાર  26 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે.  

મહાશિવરાત્રીનો મહિમા

હિન્દુ પરંપરા અનુસાર આ દિવસે ભગવાન શિવ પ્રગટ થયા હતા. આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. આ દિવસે ઉપવાસ, મંત્રોચ્ચાર અને રાત્રિ જાગરણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શિવરાત્રીની દરેક ઘડી અત્યંત શુભ હોય છે. મહાશિવરાત્રી પર, ભક્તો મહાદેવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા કરીને ઇચ્છિત વરદાન મેળવે છે. આ પૂજા ચાર પ્રહરમાં કરવામાં આવે છે.

પૂજાનો શુભ સમય ( Shubh Muhurat )

બ્રહ્મ મુહૂર્તની પૂજાનો મુહૂર્ત 26 ફેબ્રુઆરી સવારે 05:17 થી 06:05 સાંજે સુધી રહેશે
પ્રથમ પ્રહરની પૂજાનો સમય 26 ફેબ્રુઆરી સવારે 06:29 થી રાત્રે 09:34 સુધી છે
બીજા પ્રહરની પૂજાનો સમય 26 ફેબ્રુઆરી રાત્રે 09:34 થી મધ્યરાત્રિ 12 :39 સુધી રહેશે
ત્રીજા પ્રહરની પૂજાનો સમય 26 ફેબ્રુઆરી રાત્રે 12 :39 થી 03:45 સુધી છે
ચોથા પ્રહરની પૂજાનો સમય 27 ફેબ્રુઆરી સવારે 03:45 થી 06: 50 સુધી છે

મહાશિવરાત્રી 2025 જલાભિષેક સમય 

આ વર્ષે મહાશિવરાત્રી પર જલાભિષેકનો સમય સવારે ૦૯:૧૭ વાગ્યાથી છે કારણ કે તે પહેલાં ત્રયોદશી તિથિ હશે. તમે સવારે 09:17 વાગ્યાથી દિવસભર જલાભિષેક કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Shankaracharya Hill: PM મોદી પહોંચ્યા શ્રીનગર, દૂરથી પહાડી પર આવેલા શંકરાચાર્ય મંદિર કર્યું નમન.. જુઓ તસવીરો..

 

મહાશિવરાત્રી વ્રત પૂજા વિધિમહાશિવરાત્રિના દિવસે નિર્જળ  વ્રત રાખવું અથવા માત્ર ફળ ઉપવાસ કરવું સારું છે. સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ઉપવાસની પ્રતિજ્ઞા લો. આ પછી ઘરની નજીક આવેલા ભોલે શંકરના કોઈ મંદિરમાં જાઓ. ભગવાન શિવને પંચામૃત અને ગંગા જળથી અભિષેક કરો. ત્યારબાદ શિવલિંગને બેલપત્ર, ધતુરા, સફેદ ચંદન, અત્તર, પવિત્ર દોરો, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. ભગવાન શિવને કેસરવાળી ખીર અર્પણ કરીને પ્રસાદ વહેંચો. આ એવી પૂજા વિધિ છે જેના દ્વારા ભક્તોને ભગવાનના આશીર્વાદ તો મળે જ છે પરંતુ દરેક દુઃખ અને મુશ્કેલીમાંથી પણ મુક્તિ મળે છે.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More