News Continuous Bureau | Mumbai
૧૯ માર્ચ ૨૦૨૬, ગુરુવારનો દિવસ ભારતીય સંસ્કૃતિ માટે અત્યંત વિશેષ રહેવાનો છે. આ દિવસે વિક્રમ સંવત ૨૦૮૩ (હિન્દુ નવવર્ષ) નો પ્રારંભ થશે. જ્યોતિષીઓના મતે આ દિવસે ગ્રહોની સ્થિતિ અને તહેવારોનું મિશ્રણ એક એવો ‘સુપર સંયોગ’ બનાવી રહ્યું છે જે વર્ષોમાં એકાદ વાર જ જોવા મળે છે.
૧૯ માર્ચના રોજ ઉજવવામાં આવનારા મુખ્ય પર્વો અને તેનું મહત્વ નીચે મુજબ છે:
૧. ચૈત્ર નવરાત્રી અને ઘટસ્થાપના- ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીનો પ્રારંભ થશે. આ દિવસે ઘરે-ઘરે કળશ સ્થાપના (ઘટસ્થાપના) સાથે આદ્યશક્તિની આરાધના શરૂ થશે. શ્રદ્ધાળુઓ નવ દિવસ સુધી માતાજીના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરશે.
૨. હિન્દુ નવવર્ષ – વિક્રમ સંવત ૨૦૮૩- આ દિવસથી જ હિન્દુ નવવર્ષ એટલે કે ‘નવ સંવત્સર’ શરૂ થાય છે. આ વર્ષે નવા વર્ષના રાજા ગુરુ (બૃહસ્પતિ) રહેશે, જે સુખ-સમૃદ્ધિ અને ઉત્પાદનમાં વધારો કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Global Eyes on PM Modi: ઈરાન-ઈઝરાયેલ જંગમાં પીએમ મોદી ‘ગેમ ચેન્જર’! ભારતની મધ્યસ્થી પર ટકી દુનિયાની નજર, જાણો કેવી રીતે ટળશે આફત
૩. ગુડી પડવા અને ઉગાડી- મહારાષ્ટ્રમાં આ દિવસે વિજય અને સમૃદ્ધિના પ્રતીક તરીકે ‘ગુડી’ લહેરાવીને નૂતન વર્ષની ઉજવણી કરાશે. દક્ષિણ ભારતમાં આ પર્વને ‘ઉગાડી’ તરીકે ઉજવવામાં આવે છે, જે તેલુગુ નવવર્ષનો પ્રારંભ ગણાય છે.
૪. અયોધ્યામાં શ્રી રામ યંત્રની સ્થાપના – સનાતન ધર્મ માટે આ દિવસ એટલે પણ ખાસ છે કારણ કે ૧૯ માર્ચના રોજ અયોધ્યા રામ મંદિરના ત્રીજા માળે વૈદિક મંત્રોચ્ચાર સાથે ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કરવામાં આવશે.
૫. જ્યોતિષીય ‘મહાસંયોગ’ અને ચાંદ રાત -જ્યોતિષ મુજબ, ૧૯ માર્ચે મીન રાશિમાં શનિ, સૂર્ય, શુક્ર અને ચંદ્રનો ચતુર્ગ્રહી યોગ રચાશે. આ સાથે જ મુસ્લિમ બિરાદરો માટે પણ આ દિવસ મહત્વનો છે, કારણ કે જો ૧૯મીએ ‘શવ્વાલ’નો ચાંદ દેખાય તો ૨૦ માર્ચે ઈદ મનાવવામાં આવશે.