Site icon News Continuous Bureau | Mumbai

Navratri Day 7: નવરાત્રીના 7માં દિવસે થાય છે મા દુર્ગાના સાતમાં સ્વરુપ મા કાલરાત્રીની ઉપાસના, જાણો પૂજાવિધિનું મહત્વ

મા દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રીના સાતમા દિવસે કાલરાત્રીને પૂજા કરવામાં આવે છે.

Maa kalratri navratri day 7

Maa kalratri navratri day 7

News Continuous Bureau | Mumbai 

Navratri 2023: શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. 02 ઓક્ટોબરે શારદીય નવરાત્રીની સપ્તમી(Maha Saptami) તિથિ છે. મહાસપ્તમી નવરાત્રીના સાતમા દિવસે આવે છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. હંમેશા શુભ પરિણામ આપવાના કારણે તેણીને શુભંકરી પણ કહેવામાં આવે છે. 

દુષ્ટોનો નાશ કરનારી મા કાલરાત્રી

કાલરાત્રી દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે, તેથી તેનું નામ કાલરાત્રી છે. મા કાલરાત્રી, મા દુર્ગા(Maa durga)નું સાતમું સ્વરૂપ, ત્રણ આંખોવાળી દેવી છે. એવું કહેવાય છે કે નવરાત્રીના સાતમા દિવસે જે પણ મા કાલરાત્રીની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

મા કાલરાત્રીનું સ્વરૂપ

કહેવાય છે કે, શુંભ, નિશુમ્ભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાએ કાલરાત્રી(Maa Kalratri)નું રૂપ ધારણ કરવું પડ્યું હતું. દેવી કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. ગળાની માળા વીજળીની જેમ ચમકે છે. માતાની ત્રણ આંખો વિશાળ અને બ્રહ્માંડ જેવી ગોળ છે. માતાના ચાર હાથ છે, જેમાં એક હાથમાં ખડગ એટલે કે તલવાર, બીજામાં લોખંડનું શસ્ત્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે.

પૂજા પદ્ધતિ

સપ્તમી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. સ્નાન કર્યા પછી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેને લાલ ફૂલ અર્પણ કરો. મા કાલરાત્રીની પૂજા(Puja of Maa kalratri)માં મીઠાઈ, પાંચ ફળ, અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ અને ગોળ, નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
આ દિવસે ગોળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા કાલરાત્રીને ગોળ અથવા તેમાંથી બનાવેલી વાનગી અર્પણ કરો. પૂજા પૂરી થયા પછી માતાના મંત્રોનો જાપ(Mantra jap) કરો અને તેમની આરતી કરો. દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરો.

મંત્ર

ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम: .
ॐ कालरात्र्यै नम:
ॐ फट् शत्रून साघय घातय ॐ
ॐ ह्रीं श्रीं क्लीं दुर्गति नाशिन्यै महामायायै स्वाहा।
ધ્યાન મંત્ર
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
આ સમાચાર પણ વાંચોઃ B’day Sepcial: આજે નવજોત સિંહ સિદ્ધુ જન્મદિવસ, જુઓ તેમના બાળપણ અને પરિવારની તસ્વીરો
Join Our WhatsApp Channel
Significance of Mukhagni in Hinduism અંતિમ સંસ્કાર સમયે મુખાગ્નિ કેમ આપવામાં આવે છે? ગરુડ પુરાણ અનુસાર તેનું રહસ્ય અને મહત્વ
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Shiva Tandav Stotram importance શિવ તાંડવ સ્તોત્ર ક્યારે અને શા માટે કરવામાં આવે છે? જાણો આ દિવ્ય સ્તોત્રનું અદ્ભુત મહત્વ…
Exit mobile version