Site icon News Continuous Bureau | Mumbai

Pitru Paksha 2024 : આજથી પિતૃપક્ષની શરૂઆત, જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું કરવું શ્રાદ્ધ??

Pitru Paksha 2024 : જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું શ્રાદ્ધ કરવું

Pitru Paksha 2024 begins today, know on which date to do Shraddha of which ancestors

Pitru Paksha 2024 begins today, know on which date to do Shraddha of which ancestors

News Continuous Bureau | Mumbai 

Pitru Paksha 2024 :  ભાદરવા માસનાં વદપક્ષએ પિતૃને તૃપ્ત કરવા માટેનો સમય છે આ માટે તેને પિતૃપક્ષ ( Pitru Paksha ) કહે છે. પંદર દિવસનાં આ પક્ષમાં લોકો પોતાનાં પિતૃઓને જળ આપે છે તથા તેમની મૃત્યુતિથિ પર શ્રાદ્ધ ( Shraddha Paksha  ) કરે છે. અમુક લોકો એવાં પણ હોય છે કે જેઓ પોતાનાં પરિજનોની મૃત્યુની તિથિ જાણતાં નથી. આ સમસ્યાનાં સમાધાન માટે પિતૃપક્ષમાં અમુક વિશેષ તિથિઓ પણ નિયત કરવામાં આવે છે જે દિવસે શ્રાદ્ધ કરવાથી દરેક પિતૃજનની આત્માને શાંતિ મળે છે આ પ્રમુખ તિથિઓ આ પ્રકારે છે. 

Join Our WhatsApp Community

Pitru Paksha 2024 :  ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ

આ તિથિ નાના – નાની નાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. જો નાના- નાનીનાં પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરવાવાળું ના હોય અને જો તમે તેમની મૃત્યુતિથિનાં જાણતાં હોય તો આ તિથિનાં શ્રાદ્ઘ કરવાથી આત્માને શાંતિ મળે છે. તેના ઘરમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Pitru Paksha 2024 : પાંચમનું શ્રાદ્ધ 

આ તિથિ પર તેમનાં પરિવારજનોનું શ્રાદ્ધ કરવાનું મહત્વ છે. જેમની મૃત્યુ કુંવારાપણાની સ્થિતિમાં થઇ હોય. આ તિથિને કુંવારા પાંચમ કહે છે.

Pitru Paksha 2024 : નોમનું શ્રાદ્ધ

આ તિથિ માતાનાં શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવી છે. આ માટે તેને માતૃનોમ પણ કહે છે. આ તિથિ ( Shraddha Tithi )  પર શ્રાદ્ધ કરવાથી કુળની દિવંગત મહિલાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ તિથિમાં શ્રાદ્ધ પરિવારનાં તે લોકો માટે કરવામાં આવે છે જેમણે સંન્યાસ લીધો છે.

આ સમાચાર પણ વાંચો: Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો

Pitru Paksha 2024 : ચૌદશનું શ્રાદ્ધ

આ તિથિ તે પરિવારજનોનાં શ્રાદ્ધ માટે છે જેની અકાળ મૃત્યુ થઇ હોય જેમ કે – દુર્ઘટના, આત્મહત્યા, શસ્ત્ર વગેરે.

Pitru Paksha 2024 : સર્વ પિતૃમોક્ષ અમાસ

કોઇ કારણથી પિતૃપક્ષની દરેક તિથિઓ પર પિતૃઓનું શ્રાદ્ધ ચૂકી જાય અને પિતૃઓની ( Pitru  ) તિથિ યાદ ના હોય ત્યારે આ તિથિ પર દરેક પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી કુળનાં દરેક પિતૃઓનું શ્રાદ્ધ થઇ જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.
Vaishno Devi Yatra 2026: વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની મોટી જાહેરાત, 3 નવી સુવિધાઓથી શ્રદ્ધાળુઓને મળશે મોટી રાહત
Saturn Transit 2026: શનિદેવ લેવા આવી રહ્યા છે આકરી પરીક્ષા, અત્યારથી જ સંભાળી જાય આ ૪ રાશિઓ; જાણો બચવાના રામબાણ ઉપાયો!
Mercury Transit 2026 :કંગાળમાંથી બનશે માલામાલ! નીચભંગ રાજયોગ લાવશે ખુશીઓની લહેર, આ રાશિના લોકો તૈયાર થઈ જાઓ.
Exit mobile version