News Continuous Bureau | Mumbai
Ram Navami 2025: ધાર્મિક માન્યતા અનુસાર, રામ નવમી (Ram Navami)ના દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. તેથી આ દિવસ ભગવાન રામનવમી તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મગ્રંથોમાં રામ નવમી (Ram Navami)ના તહેવારને વિશેષ ધાર્મિક મહત્વ છે.
રામ નવમી (Ram Navami) તિથિ 2025 (Tithi)
વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે ચૈત્ર શુક્લ નવમી તિથિની શરૂઆત 5 એપ્રિલે સાંજે 7:26 વાગ્યે થશે અને આ તિથિનો અંત 6 એપ્રિલે સાંજે 7:22 વાગ્યે થશે. ઉદય તિથિ અનુસાર, 6 એપ્રિલ 2025ના રોજ રામ નવમી (Ram Navami)નો ઉત્સવ ઉજવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Waqf Amendment Bill: વક્ફ સુધારણા બિલ પર ગિરિરાજ સિંહે કોંગ્રેસને આડે હાથ લીધા કહ્યું ગજવા-એ-હિંદની પ્રયોગશાળા હતી…
રામ નવમી (Ram Navami)નો શુભ મુહૂર્ત (Shubh Muhurat)
6 એપ્રિલ 2025ના રોજ રામ નવમી (Ram Navami)ના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂરત સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:39 વાગ્યે સમાપ્ત થશે. આ સમય દરમિયાન તમે ભગવાન રામની પૂજા કરી શકો છો.
રામ નવમી (Ram Navami) પૂજા વિધિ (Puja Vidhi)
રામ નવમી (Ram Navami)ના દિવસે ભગવાન રામની પૂજા કરવા માટે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો. પૂજાઘરમાં ભગવાન શ્રી રામ, માતા સીતાની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાન રામને ચંદન લગાવીને તેમને ફૂલ, અક્ષત અને ધૂપ અર્પણ કરો. ત્યારબાદ શુદ્ધ દેશી ઘીમાં દીવો પ્રગટાવીને દેવને મીઠાઈ અને ફળોનો નૈવેદ્ય અર્પણ કરો. શ્રીરામચરિતમાનસ, સુંદરકાંડ અથવા રામરક્ષા સ્તોત્રનું પઠન કરો. આ દરમિયાન ભગવાન રામના મંત્રોનો જપ કરો, જેનાથી સકારાત્મક વાતાવરણ સર્જાશે.