Site icon

Ram Navami 2026 Remedies:રામનવમી પર નસીબ ચમકાવવાની સુવર્ણ તક: માત્ર આ 3 સરળ ઉપાયોથી દૂર થશે બધી મુશ્કેલીઓ, જાણો પૂજાનું સચોટ મુહૂર્ત

Ram Navami 2026 Remedies:રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી; જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા રામચરિતમાનસ અને દાનનું છે વિશેષ મહત્વ.

Ram Navami 2026 Remedies: Follow These 3 Simple Steps on 27th March to Seek Lord Rama's Divine Blessings.

Ram Navami 2026 Remedies: Follow These 3 Simple Steps on 27th March to Seek Lord Rama's Divine Blessings.

News Continuous Bureau | Mumbai
Ram Navami 2026 Remedies: હિન્દુ ધર્મમાં રામનવમીની પૂજાનું અત્યંત મહત્વ છે. દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જો સાચા મનથી અને વિધિ-વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે, તો જીવનમાં આવનારી તમામ બાધાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.પંચાંગ અનુસાર, આ વખતે નવમી તિથિની શરૂઆત આજે સવારે 11:48 વાગ્યાથી થઈ ગઈ છે અને તેનું સમાપન આવતીકાલે એટલે કે 27 માર્ચની સવારે 10:06 વાગ્યે થશે. શાસ્ત્રો મુજબ ભગવાન રામનો જન્મ અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ પવિત્ર દિવસે જો તમે નીચે મુજબના ત્રણ ઉપાયો કરશો તો પ્રભુની કૃપા તમારા પર સદાય બની રહેશે.

રામચરિતમાનસ અને બાલકાંડનો પાઠ

રામનવમીના દિવસે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ રામચરિતમાનસનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને આ દિવસે ‘બાલકાંડ’ નો પાઠ કરવો જોઈએ, જેમાં ભગવાન રામના જન્મથી લઈને તેમના દિવ્ય સ્વરૂપની કથા છે. માન્યતા છે કે આ પાઠ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને મન શાંત રહે છે. સવારે સ્નાન કરીને પૂજા બાદ આ પાઠ શરૂ કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Masterstroke of India’s foreign policy:ભારતની વિદેશ નીતિનો માસ્ટરસ્ટ્રોક: એસ. જયશંકરે સમજાવ્યું ઇઝરાયલ સાથેની દોસ્તી અને ઇરાન સાથેના સંબંધોનું ગણિત.

હનુમાન ચાલીસાના પાઠથી મળશે બેવડો લાભ

ભગવાન રામ પ્રત્યે હનુમાનજીની ભક્તિ અજોડ છે. રામનવમીના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન રામની સાથે હનુમાનજીના પણ આશીર્વાદ મળે છે. તેનાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જા દૂર થાય છે. શ્રદ્ધાળુઓ સવાર અને સાંજ એમ બંને સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે.

દાન-પુણ્યથી દૂર થશે તમામ કષ્ટો

રામનવમીના પવિત્ર દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જરૂરિયાતમંદોને અન્ન, ફળ, ગોળ-ચણા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. જો સાચા ભાવથી આ કાર્ય કરવામાં આવે તો જીવનના તમામ કષ્ટો ધીરે-ધીરે દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ તેમજ ખુશાલી જળવાઈ રહે છે. આથી રામનવમીએ તમારી શક્તિ મુજબ દાન જરૂર કરવું જોઈએ.

Durga Ashtami 2026: મહાઅષ્ટમી ૨૦૨૬: કન્યા પૂજનના શુભ મુહૂર્ત અને સંપૂર્ણ વિધિ; દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાની ખાસ રીત
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Vastu Tips for Kitchen: રસોડામાં લોટ સાથે જોડાયેલા આ વાસ્તુ નિયમો રાખશે તમને દેવામાંથી મુક્ત, જાણો સુખ-શાંતિ માટેના સરળ ઉપાયો.
March 19, 2026: ૧૯ માર્ચે તહેવારોની હારમાળા! ગુડી પડવા, નવરાત્રી અને નૂતન વર્ષ એકસાથે; જાણો ૧૯ માર્ચનું વિશેષ મહત્વ.
Exit mobile version