Site icon News Continuous Bureau | Mumbai

Shani Iron Ring Benefits। શનિના પ્રકોપથી બચવા માટે રામબાણ ઈલાજ કઈ આંગળીમાં અને કઈ રાશિના લોકોએ પહેરવી લોખંડની વીંટી? જાણી લો સાચી રીત

Shani Iron Ring Benefits। શનિવારના દિવસે મધ્યમા આંગળીમાં લોખંડની વીંટી ધારણ કરવાથી નકારાત્મક ઉર્જા થશે દૂર; મકર અને કુંભ રાશિ માટે છે વિશેષ ફળદાયી

Shani Iron Ring Benefits। શનિના પ્રકોપથી બચવા માટે રામબાણ ઈલાજ કઈ આંગળીમાં અને કઈ રાશિના લોકોએ પહેરવી લોખંડની વીંટી? જાણી લો સાચી રીત

Shani Iron Ring Benefits। શનિના પ્રકોપથી બચવા માટે રામબાણ ઈલાજ કઈ આંગળીમાં અને કઈ રાશિના લોકોએ પહેરવી લોખંડની વીંટી? જાણી લો સાચી રીત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Shani Iron Ring Benefits। જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક નિશ્ચિત ધાતુ હોય છે, જેમાં શનિ દેવનો સંબંધ લોખંડ સાથે છે. શનિને ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ પર શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલતી હોય, ત્યારે લોખંડનો છલ્લો (વીંટી) ધારણ કરવો અત્યંત પ્રભાવી ઉપાય માનવામાં આવે છે. આ વીંટી માત્ર નકારાત્મકતા દૂર નથી કરતી, પણ વ્યક્તિને માનસિક શાંતિ અને સ્થિરતા પણ પ્રદાન કરે છે.

કઈ રાશિઓ માટે છે સૌથી શુભ?

એક પંડિત ના જણાવ્યા મુજબ, શનિ દેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે, તેથી આ રાશિના જાતકો માટે લોખંડ ધારણ કરવું વિશેષ શુભ છે. આ સિવાય કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો, જેમના પર હાલમાં પનોતીની અસર હોય, તેઓ પણ આ વીંટી પહેરી શકે છે. જોકે, કોઈપણ ધાતુ ધારણ કરતા પહેલા નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે.

લોખંડ ની વીંટી પહેરવાના ખાસ નિયમો

લોખંડની વીંટી ધારણ કરતી વખતે શાસ્ત્રોક્ત નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે:
યોગ્ય આંગળી: આ વીંટી ને હંમેશા જમણા હાથની મધ્યમા (વચ્ચેની આંગળી) માં પહેરવી જોઈએ, કારણ કે આ આંગળી શનિ ગ્રહ સાથે સંબંધિત છે.
શુભ દિવસ અને સમય: તેને માત્ર શનિવાર ના દિવસે જ સૂર્યાસ્ત પછી ધારણ કરવો જોઈએ.
શુદ્ધિકરણ: વીંટી પહેરતા પહેલા તેને શનિવારે સવારે સરસવના તેલ અથવા તલના તેલમાં થોડા કલાકો સુધી ડુબાડી રાખવી જોઈએ.
મંત્ર જાપ: વીંટી પહેર્યા બાદ શનિ દેવની પૂજા કરી ‘ૐ શં શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.

રક્ષા કવચ સમાન છે આ ઉપાય

ધાર્મિક માન્યતાઓ અનુસાર, લોખંડ ની વીંટી વ્યક્તિ માટે રક્ષા કવચનું કામ કરે છે. તે ખરાબ નજર અને મેલી વિદ્યા જેવી નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય અથવા જીવનમાં અસ્થિરતા અનુભવતા હોય, તેમને આ ઉપાયથી રાહત મળે છે. જ્યોતિષીઓ માને છે કે જો શ્રદ્ધાપૂર્વક આ છલ્લો ધારણ કરવામાં આવે, તો તે વ્યક્તિને રંકમાંથી રાજા બનાવવાની શક્તિ ધરાવે છે.

👉 આ સમાચાર વાચો:
Beetroot Face Mask Benefits। ચહેરા પર આવશે ગુલાબી નિખાર અને દૂર થશે કાળા ડાઘ! ઘરે જ બનાવો ‘બીટ’નું આ સ્પેશિયલ ફેસ માસ્ક

Solar Eclipse 2026 આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ! ભૂલથી પણ ન કરતા આ કામ, જાણો અમાસના ખાસ નિયમો.
Significance of Mukhagni in Hinduism અંતિમ સંસ્કાર સમયે મુખાગ્નિ કેમ આપવામાં આવે છે? ગરુડ પુરાણ અનુસાર તેનું રહસ્ય અને મહત્વ
Yaganti Nandi Temple Mystery આંધ્રપ્રદેશનું રહસ્યમય યાગંતી મંદિર, જ્યાં નંદીની મૂર્તિ સતત વધી રહી છે, કળિયુગના અંત સાથે જોડાયેલી છે માન્યતા
Budh Nakshatra Parivartan 2026 Pushya Transit બુધ ગ્રહનું પુષ્ય નક્ષત્રમાં ગોચર, આ રાશિના જાતકો માટે ખુલશે ભાગ્યના દ્વાર
Exit mobile version