Shardiya Navratri 2024 Day 3: નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટા ને છે સમર્પિત, જાણો પૂજા વિધિ, ભોગ અને મંત્ર…

Shardiya Navratri 2024 Day 3: નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાને વિશેષ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતાને દૂધથી બનેલી મીઠાઈઓ અને ખીર ચઢાવવામાં આવે છે. જે લોકો દેવી માતાને ખીર અને મીઠાઈ અર્પણ કરે છે, તેમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

by kalpana Verat
Shardiya Navratri 2024 Day 3 Shardiya Navratri ,Check Puja Vidhi, Shubh Muhurat, Mantra, Bhog For Mata Chandraghanta

News Continuous Bureau | Mumbai 

Shardiya Navratri 2024 Day 3 : 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ ( Shardiya Navratri 2024 Day 3  ) છે.  નવરાત્રીનું ત્રીજું નોરતું માતા ચંદ્રઘંટા ( Mata Chandraghanta )  ને સમર્પિત છે. આ દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી વિશેષ ફળ મળે છે. માતા ચંદ્રઘંટાને ચંદ્રખંડ, ચંડિકા અને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે.

જો આપણે મા ચંદ્રઘંટા ના સ્વરૂપ વિશે વાત કરીએ, તો મા ચંદ્રઘંટા ના કપાળ પર અર્ધ ચંદ્ર છે, તેથી તેમનું નામ ચંદ્રઘંટા પડ્યું. તેમના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે. આ દેવીને દસ હાથ છે અને તેમના હાથ કમળ, ધનુષ્ય, બાણ, તલવાર, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા વગેરે શસ્ત્રોથી સજ્જ છે. મા ચંદ્રઘંટાના ગળામાં સફેદ ફૂલોની માળા છે અને માથા પર રત્ન જડિત મુગટ છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટા માતાની પૂજા કરવાથી વ્યક્તિ બહાદુર અને નિર્ભય બને છે, આ સિવાય જીવનની તમામ પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.

Shardiya Navratri 2024 Day 3 :મા ચંદ્રઘંટાની પૂજા માટેનો શુભ સમય

વૈદિક કેલેન્ડર અનુસાર મા ચંદ્રઘંટાનું પૂજન કરવાનો શુભ સમય સવારે 11:46 થી 12:33 સુધીનો રહેશે.

Shardiya Navratri 2024 Day 3 :મા ચંદ્રઘંટા ની પૂજા કરવાની વિધિ 

ચંદ્રઘંટા દેવીની પૂજા કરવા માટે, સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પછી ધ્યાન કરો અને માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરો. માતા ચંદ્રઘંટાની મૂર્તિને લાલ કે પીળા કપડા પર રાખો. માતાને કુમકુમ અને અક્ષત ચઢાવો. માતાની પૂજા કરો. માતા ચંદ્રઘંટા ને પીળો રંગ અર્પણ કરો. માતા ચંદ્રઘંટા દેવીને દૂધથી બનેલી મીઠાઈઓ અને ખીર પસંદ છે. ચંદ્રઘંટા દેવીની પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરો. દુર્ગા સપ્તશતી અને ચંદ્રઘંટા માતાની આરતીનો પાઠ કરો.

Shardiya Navratri 2024 Day 3 :માતા ચંદ્રઘંટા નો પ્રસાદ

એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટા ખીરને ખૂબ પસંદ કરે છે, તેથી માતાને કેસર અથવા સાબુદાણાની ખીર અર્પણ કરી શકાય છે. પંચામૃતનું મિશ્રણ આ પાંચેય ગુણોનું પ્રતીક છે. પંચામૃત એ દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળનું મિશ્રણ છે. જે  માતા ચંદ્રઘંટાને ખૂબ જ પ્રિય છે. આ મિશ્રણ પાંચ પવિત્ર પદાર્થોથી બનેલું છે, જેમાંથી દરેકનું પોતાનું મહત્વ છે. દૂધને શુદ્ધતા અને પોષણનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેથી, તમે માતા ચંદ્રઘંટાને કાચું દૂધ પણ અર્પણ કરી શકો છો. માતા ચંદ્રઘંટાને પણ દહીં ખૂબ પ્રિય છે. તમે સાદા દહીં અથવા તેને ફળો સાથે મિક્સ કરીને આપી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  Shardiya Navratri 2024 : આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી – દેશ દેવી શ્રી આશાપુરા માં ના લાઈવ દર્શન..

Shardiya Navratri 2024 Day 3 : મા ચંદ્રઘંટા પૂજા મંત્ર

पिण्डजप्रवरारूढ़ा ण्डकोपास्त्रकेर्युता।

प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥

या देवी सर्वभूतेषु मां चंद्रघंटा रूपेण संस्थिता।

नमस्तस्यै, नमस्तस्यै, नमस्तस्यै, नमो नम:।।

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More