Dhanvantari: વર્ષમાં માત્ર એક જ દિવસે ખૂલે છે ભગવાન ધન્વંતરીનું આ મંદિર! જાણો 326 વર્ષ જૂની પ્રતિમા અને તેના મહત્ત્વ વિશે

Dhanvantari: રોશનીનો તહેવાર એટલે કે દિવાળી, જેનો આજથી પ્રારંભ થયો છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ઊજવ્યા બાદ ભાઈદૂજના દિવસે સમાપ્ત થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

by Hiral Meria
This temple of Lord Dhanvantari opens only on one day a year! Learn about the 326-year-old statue and its significance

News Continuous Bureau | Mumbai 

Dhanvantari: રોશનીનો તહેવાર એટલે કે દિવાળી ( Diwali ) , જેનો આજથી પ્રારંભ થયો છે. આ તહેવાર ધનતેરસથી ( Dhanteras ) શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ઊજવ્યા બાદ ભાઈદૂજના દિવસે સમાપ્ત થાય છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા ( worship )  કરવાનું વિશેષ મહત્ત્વ છે. તેમને આયુર્વેદના પિતા અને દેવતાઓના ચિકિત્સક માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની જન્મજયંતી ( birthday )  પણ ઊજવવામાં આવે છે.

દેશમાં આવા ઘણા પ્રાચીન મંદિરો છે, જે પોતાનામાં ઘણા રહસ્યો અને ઇતિહાસ ધરાવે છે. આમાંથી એક વારાણસીના સુડિયામાં ( Sudia ) આવેલું ધન્વંતરી મંદિર ( Dhanvantari Temple ) છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ધનતેરસના દિવસે ખૂલે છે. કારતક શુક્લ ત્રયોદશીના રોજ ભગવાન ધન્વંતરિની જન્મજયંતી ઊજવવામાં આવે છે. આવી સ્થિતિમાં દૂર-દૂરથી લોકો ભગવાન ધન્વંતરિના આશીર્વાદ લેવા માટે આ મંદિરમાં આવે છે, જેથી તેઓને તેમના જીવનમાં કોઈપણ પ્રકારની શારીરિક પીડા ન થાય અને તેઓ સ્વસ્થ શરીર સાથે જીવન જીવે.

આ મંદિરમાં લગભગ 50 કિલો વજનની અષ્ટધાતુથી બનેલી ભગવાન ધન્વંતરીની મૂર્તિ છે. કહેવાય છે કે આ પ્રતિમા લગભગ 326 વર્ષ જૂની છે. લગભગ અઢી ફૂટ ઊંચી આ પ્રતિમામાં ભગવાન ધન્વંતરિના એક હાથમાં અમૃતનું વાસણ, બીજા હાથમાં શંખ, ત્રીજા હાથમાં ચક્ર અને ચોથા હાથમાં જળો છે. શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે ધન્વંતરી પણ વિષ્ણુના 24 અવતારોમાંના એક હતા. તે હાથમાં અમૃતનું વાસણ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. ધાર્મિક ગ્રંથો અનુસાર, પૃથ્વી પર આયુર્વેદની ઉત્પત્તિ કાશીમાંથી માનવામાં આવે છે. ધન્વંતરી જયંતીના અવસર પર, ભગવાનની આ મૂર્તિની પૂજા કરવામાં આવે છે અને વિશેષ વિધિઓથી શણગારવામાં આવે છે. તેમને ફળ અને ફૂલ ઉપરાંત જડીબુટ્ટીઓ અને દવાઓ અર્પણ કરવામાં આવે છે. આજે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી તમામ રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ સમાચાર પણ વાંચો : Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીની ‘કડક સિંહ’નું ફર્સ્ટ લુક આવ્યો સામે, સસ્પેન્સ થ્રિલર ફિલ્મમાં અનોખા રૂમમાં જોવા મળશે અભિનેતા

(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More