Site icon

Anjeer: રોગપ્રતિકારક ક્ષમતા અને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ શ્રેષ્ઠ મનાય છે અંજીર, ડાયેટમાં સામેલ કરવાથી મળે છે આ અદ્ભુત લાભ.

Anjeer: અંજીર માત્ર એક ફળ જ નથી પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણોનો પણ સમાવેશ થાય છે. તે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. અંજીરમાં વિટામીન, ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણો ભરપૂર માત્રામાં હોય છે.

Anjeer Figs are considered to be the best for immunity and heart health, adding these amazing benefits to the diet

Anjeer Figs are considered to be the best for immunity and heart health, adding these amazing benefits to the diet

News Continuous Bureau | Mumbai

Anjeer: અંજીર માત્ર એક ફળ જ નથી પરંતુ તેમાં અનેક ઔષધીય ગુણોનો ( Medicinal properties ) પણ સમાવેશ થાય છે. તે સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. અંજીરમાં વિટામીન ( vitamins ) , ફાઈબર, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ જેવા ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તેને ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

Join Our WhatsApp Community

રોગપ્રતિકારક શક્તિ ( immunity ) વધારે-

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અંજીર ખૂબ જ મદદ કરે છે. અંજીરમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને પોટેશિયમ રોગપ્રતિકારક શક્તિ માટે શ્રેષ્ઠ મનાય છે. તેનાથી પાચનક્રિયા પણ સુધરે છે. આ સાથે ખાલી પેટે અંજીર ખાવાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

હૃદયના સ્વાસ્થ્ય ( Heart health ) માટે ઉપયોગી-

હૃદયની બીમારીઓને દૂર રાખવા માટે દરરોજ અંજીર ખાવું જોઈએ. એન્ટીઑકિસડન્ટ અને પોટેશિયમથી ભરપૂર સૂકા અંજીર હૃદયને સ્વસ્થ રાખે છે. તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને, તે નસોમાં અવરોધ દૂર કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.

વજન ઘટાડવા અને હાડકાં માટે ઉપયોગી-

ફાઈબરથી ભરપૂર અંજીર ખાવાથી શરીરને એનર્જી મળે છે. જો અંજીરનો ઉપયોગ પરેજી પાળવામાં કરવામાં આવે તો તમે તેનાથી ભરપૂર ઊર્જા મેળવી શકાય છે, જેના પછી તમે ઓછું ખાવાથી વજન સરળતાથી ઘટાડી શકો છો. ડાયેટિંગ માટે આ બેસ્ટ ઓપ્શન છે. ઉપરાંત, અંજીરમાં કેલ્શિયમ પણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. જો હાડકામાં દુખાવાની સમસ્યા હોય તો રોજ અંજીર ખાવું જોઈએ. તેનાથી હાડકાના દુખાવામાં રાહત મળે છે. રોજ સવારે દૂધ સાથે અંજીર ખાવાથી નબળાઈ પણ દૂર થાય છે.

આ સમાચાર પણ વાંચો : Mahua Moitra : TMC સાંસદ મહુઆ મોઈત્રા સસ્પેન્ડ, કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે રદ થયું સભ્ય પદ, હવે શું કરશે? તેમની પાસે છે આ 5 વિકલ્પો

આ રીતે અંજીરનું કરો સેવન

અંજીર ખાવાની સૌથી સારી રીત છે તેને દૂધ સાથે ખાવા જોઈએ. અંજીરને દૂધમાં પલાળી, ઉકાળીને તેનું સેવન કરી શકાય છે. તે રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ સારું છે. તમે સૂકા અંજીર પણ ખાઈ શકો છો. પલાળેલ અંજીર ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તે હાડકાં માટે પણ સારું છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Orange Ginger Shot: વારંવાર શરદી-ઉધરસ થાય છે? ઘરે બનાવો આ પાવરફુલ ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક, માત્ર 2 મિનિટમાં થશે તૈયાર
Vitamin Deficiency: શરીરમાં વારંવાર ખંજવાળ આવે છે? હોઈ શકે છે આ વિટામિન્સની ઉણપ; જાણો રાહત મેળવવાના રામબાણ ઉપાયો
World Cancer Day 2026: સાવધાન! ભારતમાં આ 5 કેન્સર બની રહ્યા છે ‘સાયલન્ટ કિલર’, સામાન્ય દેખાતા આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Health Benefits of Amla Powder: શરીરની ગંદકી સાફ કરવા માટે બેસ્ટ છે આમળાનું પાણી! પાચન સુધરશે અને ચહેરા પર આવશે કુદરતી ગ્લો
Exit mobile version