Site icon

કામના સમાચાર / મગજને મજબૂત કરવામાં મદદ કરે છે રીંગણ, તેના ફાયદા જાણી લેશો તો તમારી ફેવરેટ શાકભાજી બની જશે

રીંગણ એક એવું શાક છે જે બહુ ઓછા લોકો ખાવાનું પસંદ કરે છે. પહેલા રીંગણ વિશે એવું કહેવામાં આવતું હતું કે, તે કોઈપણ ગુણો વગરની છે એટલે કે તેમાં કોઈ ગુણ નથી, પરંતુ તેના સ્વાસ્થ્યને લઈને એટલા બધા ફાયદા સામે આવ્યા છે કે રીંગણને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે

Brinjal cost lowers because of rain in Maharashtra

લ્યો કરો વાત : કોલ્હાપુરમાં રીંગણની કિંમત 27 પૈસા પ્રતિ કિલો છે

News Continuous Bureau | Mumbai

Brinjal For Brain: રીંગણ એક એવું શાક છે જે બહુ ઓછા લોકો ખાવાનું પસંદ કરે છે. પહેલા રીંગણ વિશે એવું કહેવામાં આવતું હતું કે, તે કોઈપણ ગુણો વગરની છે એટલે કે તેમાં કોઈ ગુણ નથી, પરંતુ તેના સ્વાસ્થ્યને લઈને એટલા બધા ફાયદા સામે આવ્યા છે કે રીંગણને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્યની સાથે મગજ માટે પણ રીંગણ ખૂબ જ ફાયદાકારક છે. રીંગણના એટલા બધા ફાયદા છે કે, તેને જાણ્યા પછી તમને તેને રોજ ખાવાનું મન થશે. ચાલો જાણીએ કે રીંગણ કેવી રીતે ફાયદાકારક છે

Join Our WhatsApp Community

મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે રીંગણ

રીંગણ યાદશક્તિ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેને મેમરી શાર્પર કહેવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રીંગણમાં જોવા મળતા એન્થોસાયનિન અને નાસુનિન એન્ઝાઈમ મગજના કોષોનો પટલને ફ્રી રેડિકલ્સ થી બચાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં, મગજના કોષોને ડિટોક્સ કરવાની સાથે રીંગણ ની મદદથી મગજમાં રક્ત પરિભ્રમણ ઝડપી થાય છે. તેનાથી યાદશક્તિ વધે છે અને મગજના રોગો દૂર રહે છે. રીંગણ માં જોવા મળતા ફાયટોન્યુટ્રીએંટ્સ એન્ઝાઇમ મગજ ને મજબૂત બનાવે છે અને મગજની કામગીરીને તેજ કરે છે.

હાડકાં થાય છે મજબૂત

મગજની સાથે હાડકાંના વિકાસ માટે રીંગણ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આપને જણાવી દઈએ કે રીંગણમા જોવા મળતું ફિનોલિક નામનું એન્ઝાઇમ હાડકાંની ડેન્સિટી વધારે છે અને તે હાડકાંને મજબૂત બનાવે છે. રીંગણ નું સેવન કરવાથી આંખોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમે રીંગણ ખાઓ છો, તો ગ્લુકોમા અને દ્રષ્ટિની ખામી ની શક્યતા ઓછી છે.

આ સમાચાર પણ વાંચો:  International Women’s Day: દુનિયાની આવી 5 પાવરફૂલ મહિલાઓ જેમના જેવી બનવાનું દરેક છોકરીનું સપનું

હૃદય માટે પણ સારા છે રીંગણ

રીંગણ નું સેવન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેમાં રહેલા બાયોફ્લેવોનોઈડ્સ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે હાર્ટ એટેકની શક્યતા ઘટાડે છે. તેમાં જોવા મળતા એન્ઝાઇમ ક્લોરોજેનિક ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે, જે હૃદયને સ્વસ્થ રાખે છે.

સુગર ના દર્દીઓ માટે ફાયદાકારક છે રીંગણ

ડાયાબિટીસના દર્દીઓ માટે રીંગણ ફાયદાકારક છે. કારણ કે, તેની ઓછી ગ્લાયકોસેમિક ઈન્ડેક્સ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં મળતું ડાયેટરી ફાઇબર પાચનતંત્ર ની સાથે સાથે મેટાબોલિઝમ માટે પણ સારું છે. તે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી.

Earphone Side Effects: કલાકો સુધી ઇયરફોન વાપરવાની આદત પડી શકે છે ભારે! થઈ શકે છે આ 5 ગંભીર બીમારીઓ, અત્યારે જ થઈ જાવ સતર્ક
Loss of Appetite Causes: શું તમને પણ ભૂખ નથી લાગતી? સાવધાન! આ ગંભીર બીમારીઓના હોઈ શકે છે સંકેત
Health Benefits of Fennel Tea: પેટના દુખાવા અને થાકમાંથી મળશે ત્વરિત છુટકારો: બસ, પીવાનું શરૂ કરો વરિયાળીની ચા; જાણો તેના જાદુઈ ફાયદા.
Health Benefits of Arjuna Bark: હૃદયરોગથી લઈને ડાયાબિટીસ સુધી: અર્જુનની છાલ છે અનેક રોગોનો રામબાણ ઈલાજ; જાણો તેના અદભૂત ફાયદા અને સેવનની રીત..
Exit mobile version