Site icon

તમારા કામનું / દવાઓ વગર કોલેસ્ટ્રોલને કરી શકો છો કન્ટ્રોલ, આજે જ અપનાવી લો આ 5 ચમત્કાલિક આયુર્વેદિક ઉપાય

તમે કોઈપણ તબીબી સારવાર વિના તમારા કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માગો છો, તો આજે અમે તમને 5 આયુર્વેદિક ઉપાયો વિશે જણાવીશું

Cholesterol Control Ayurvedic Tips

તમારા કામનું / દવાઓ વગર કોલેસ્ટ્રોલને કરી શકો છો કન્ટ્રોલ, આજે જ અપનાવી લો આ 5 ચમત્કાલિક આયુર્વેદિક ઉપાય

News Continuous Bureau | Mumbai

Cholesterol Control Ayurvedic Tips: કોલેસ્ટ્રોલ એ મીણ જેવો પદાર્થ છે, જે આપણા શરીરની લોહીની ધમનીઓમાં જોવા મળે છે. આ કોલેસ્ટ્રોલ આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેમાંથી બને છે. તેના બનવાથી કોઈ નુકસાન નથી, પરંતુ જ્યારે તે વધુ માત્રા (High Cholesterol) માં બનવાનું શરૂ કરે છે, ત્યારે નસોમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ જાય છે, જેના કારણે સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થાય છે. જો તરત જ ધ્યાન આપીને સારવાર શરૂ કરવામાં ન આવે તો હાર્ટ એટેક આવતાં વાર નથી લાગતી. સારવારમાં બેદરકારી દર્દીના મૃત્યુ તરફ દોરી શકે છે.

Join Our WhatsApp Community

જો તમે કોઈપણ તબીબી સારવાર વિના તમારા કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવા માગો છો, તો આજે અમે તમને 5 આયુર્વેદિક ઉપાયો (Cholesterol Control Ayurvedic Tips) વિશે જણાવીશું. આ ઉપાયોનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.

આહારમાં સામેલ કરો આ વસ્તુઓ

આયુર્વેદ નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમારે તમારા આહારમાં સરગવો, લસણ, ડુંગળી, સૂપ અને કરી પત્તાનો સમાવેશ કરવો જોઈએ. નસોમાં મીણના સંચયને રોકવા માટે શાકભાજીને હંમેશા સરસવના તેલ અથવા તલના તેલમાં ફ્રાય કરી જોઈએ.

આમળા અને આદુનો રસ છે ફાયદાકારક

લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ અને કોલેસ્ટ્રોલમાં વધારો થવાથી નસોમાં બ્લોકેજ થઈ શકે છે. જેના કારણે તમને હાર્ટ એટેક અથવા બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે. તેનાથી બચવા માટે તમે આદુ અને આમળાના રસનો ઉપયોગ કરી શકો છો. 10 મિલી આમળાનો રસ અને 5.5 મિલી આદુનો રસ મિક્સ કરીને ઘોળ બનાવો. પછી દરરોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાનું શરૂ કરો. થોડા દિવસોમાં તમને ફાયદો દેખાવા લાગશે.

આ સમાચાર પણ વાંચો:  જોશીમઠ માત્ર શરૂઆત છે, ઋષિકેશ, મસૂરી, નૈનીતાલના ઘરોમાં પણ તિરાડો દેખાવા લાગી

યોગ અને પ્રાણાયામ સાથે જોડાઓ

હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરવા માટે માનસિક તણાવથી પોતાને બચાવો. તેના માટે દરરોજ ઓછામાં ઓછી 20 મિનિટ યોગ અને પ્રાણાયામ કરો. યોગ કરવાથી તણાવ ઓછો થાય છે, જેના કારણે કોલેસ્ટ્રોલ પણ આપમેળે નિયંત્રણમાં આવે છે.

દરરોજ અડધા કલાક સુધી કરો જોગિંગ

કોલેસ્ટ્રોલને ટાળવા માટે, દરરોજ ફિઝિકલ એક્ટિવિટી કરવી જરૂરી છે. જ્યારે આપણે કોઈ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા ત્યારે પરસેવા દ્વારા ઝેરી તત્વો શરીરમાંથી બહાર નથી જતા. તેથી દરરોજ ઓછામાં ઓછા 20 મિનિટ જોગિંગ કરવાની અથવા અડધા કલાક સુધી ઝડપથી ચાલવાની આદત બનાવો.

રાત્રે હેવી ડિનરથી બચો

જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા છે, તેઓએ ભારે ખોરાકને બદલે હળવો અને સુપાચ્ય ખોરાક લેવો જોઈએ. રાત્રે ભારે રાત્રિભોજન કરવાનું ટાળો અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખાવાનો પ્રયાસ કરો. અકાળે ખાવાનું ટાળો અને ખાવાનો સમય નક્કી કરો.

Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતાં નથી. . . . . . 

 

Orange Ginger Shot: વારંવાર શરદી-ઉધરસ થાય છે? ઘરે બનાવો આ પાવરફુલ ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિંક, માત્ર 2 મિનિટમાં થશે તૈયાર
Vitamin Deficiency: શરીરમાં વારંવાર ખંજવાળ આવે છે? હોઈ શકે છે આ વિટામિન્સની ઉણપ; જાણો રાહત મેળવવાના રામબાણ ઉપાયો
World Cancer Day 2026: સાવધાન! ભારતમાં આ 5 કેન્સર બની રહ્યા છે ‘સાયલન્ટ કિલર’, સામાન્ય દેખાતા આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Health Benefits of Amla Powder: શરીરની ગંદકી સાફ કરવા માટે બેસ્ટ છે આમળાનું પાણી! પાચન સુધરશે અને ચહેરા પર આવશે કુદરતી ગ્લો
Exit mobile version