Vegetable and fruit seeds: બ્લડ શુગરથી લઈને કોલેસ્ટ્રોલ અને કેન્સરને રોકે છે આ 4 શાકભાજી અને ફળોના બીજ

Vegetable and fruit seeds: શું તમે જાણો છો કે ઘણી શાકભાજી અને ફળોના બીજ વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે અને આ તત્વો શુગર, કેન્સર સહિતની અનેક સમસ્યાઓ સામે લડવામાં પરફેક્ટ હોય છે.

by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Vegetable and fruit seeds: શું તમે જાણો છો કે ઘણી શાકભાજી ( vegetable  ) અને ફળોના ( fruit  ) બીજ વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબરથી ભરપૂર હોય છે અને આ તત્વો શુગર, કેન્સર સહિતની અનેક સમસ્યાઓ સામે લડવામાં પરફેક્ટ હોય છે. આજે અમે તમને એવા કેટલાક બીજ ( seeds ) વિશે જણાવીશું જે વિટામિન કે, ઝિંક, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, કોપર અને મેગ્નેશિયમ જેવા ખનિજો અને વિટામિન્સનો ભંડાર છે. આ બીજ એન્ટીઑકિસડન્ટોની ખાણ છે. તેથી આ બીજનું નિયમિત સેવન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ એ કયા બીજ છે જે તમારા શરીર માટે જરૂરી છે.

કોળાંના બીજ

તેઓ વિટામિન A, C, E, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર છે, તેથી કોળાના બીજ ડાયાબિટીસ, કેન્સર ( cancer ) , સંધિવા અને હૃદયના દર્દીઓ માટે જીવનરક્ષક છે. તેમાં સ્વસ્થ ચરબી, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને ફાયટોસ્ટેરોલ્સ હોય છે જે કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. જો તમે વજન ઘટાડવાની કોશિશ કરી રહ્યા હોવ તો પણ કોળાના બીજ, જેમાં કેલરી ઓછી હોય છે અને ફાઈબર ભરપૂર હોય છે, તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ બીજમાં મેગ્નેશિયમની પૂરતી માત્રા હોય છે જે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જો તમે ડાયાબિટીસ જેવા જટિલ રોગોથી બચવા માંગતા હોવ તો આજથી જ કોળાના બીજનું સેવન કરો.

કેરીની ગોટલી

ખરાબ કોલેસ્ટ્રોલ ( cholesterol  ) ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તે શ્રેષ્ઠ છે. બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત, આ કેરીની ગોટલી હૃદય સંબંધિત રોગોના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે. તે તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તે ઝાડા અને પીરિયડ્સના દુખાવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

આ સમાચાર પણ વાંચો : Skincare Tips : 50 વર્ષે પણ દેખાશો એકદમ યંગ અને હેલ્ધી, બસ ફોલો કરો આ સ્કિન કેર ટિપ્સ, ઘડપણ જલ્દી નહીં આવે

જાંબુના ઠળિયા

જાંબુના ઠળિયાના પાઉડરનું પાણી સાથે સેવન કરવાથી ડાયાબિટીસને વધુ ખરાબ થતો અટકાવી શકાય છે પરંતુ તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરી શકે છે. જાંબુના ઠળિયામાં મળતા પોલીફેનોલ્સ જેવા ફાયટોકેમિકલ કેન્સર સામે રક્ષણ આપવામાં ફાયદાકારક છે. તેમાં એન્થોસાયનાઇન હોય છે જે કેન્સર અને હૃદયના રોગો સામે રક્ષણ આપવા માટે ફાયદાકારક છે. આ ઉપરાંત, તે ગેસ્ટ્રિક સમસ્યાઓ, પેઢાના રોગો અને પાચન માટે પણ શ્રેષ્ઠ છે.

તરબૂચના બીજ

તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ સિવાય તરબૂચના બીજનું સેવન કરવાથી સ્ટ્રોકનો ખતરો ઘટાડી શકાય છે. તરબૂચના બીજનું સેવન કરવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી હદ સુધી ઘટી જાય છે.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Join Our WhatsApp Community

You may also like