Site icon

Vitamin Deficiency: શરીરમાં વારંવાર ખંજવાળ આવે છે? હોઈ શકે છે આ વિટામિન્સની ઉણપ; જાણો રાહત મેળવવાના રામબાણ ઉપાયો

માત્ર લિવરની બીમારી જ નહીં, વિટામિન A, B12 અને E ની કમી પણ હોઈ શકે છે કારણ; ડ્રાય સ્કિન અને રેશિસથી બચવા અપનાવો આ ઘરેલું નુસખા

Vitamin Deficiency શરીરમાં વારંવાર ખંજવાળ આવે છે હોઈ શકે છે આ વિટામિન્સની ઉણપ;

Vitamin Deficiency શરીરમાં વારંવાર ખંજવાળ આવે છે હોઈ શકે છે આ વિટામિન્સની ઉણપ;

News Continuous Bureau | Mumbai
Vitamin Deficiency ઘણીવાર આપણને શરીરમાં અચાનક ખંજવાળ આવવા લાગે છે. મોટાભાગના લોકો તેને માત્ર ધૂળ-માટી અથવા એલર્જી સમજીને અવગણતા હોય છે, અથવા તેને લિવરની સમસ્યા સાથે જોડે છે. પરંતુ તબીબી વિજ્ઞાન અનુસાર, શરીરમાં ખાસ પોષક તત્વો અને વિટામિન્સની ઉણપને કારણે પણ ત્વચા પર ખંજવાળ આવી શકે છે. જો આ ઉણપ લાંબો સમય રહે, તો તે ચામડીના ગંભીર રોગોનું સ્વરૂપ ધારણ કરી શકે છે.ખંજવાળને કારણે રાતની ઊંઘ હરામ થઈ જાય છે અને ત્વચા પર લાલ ચકામા પડી શકે છે. નિષ્ણાતોના મતે, આહારમાં યોગ્ય વિટામિન્સનો સમાવેશ ન કરવાથી ત્વચા પોતાની કુદરતી નમી ગુમાવે છે, જેને કારણે ડ્રાયનેસ વધે છે અને ખંજવાળની સમસ્યા સર્જાય છે.

કયા વિટામિનની ઉણપથી ખંજવાળ આવે છે?

વિટામિન A: આ વિટામિન ત્વચાના કોષોના રિપેરિંગ માટે જરૂરી છે. તેની ઉણપથી ત્વચા સૂકી થઈ જાય છે અને ખંજવાળ આવે છે.
વિટામિન B12: તેની કમીથી હાથ અને પગમાં ઝણઝણાટી સાથે ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
વિટામિન B3 (નિયાસિન): તેની ઉણપથી ત્વચા પર રેશિસ અને જખમ થઈ શકે છે.
વિટામિન E અને C: આ વિટામિન્સ ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે અને એન્ટી-ઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તેની ઉણપથી ત્વચામાં જલન અને ખંજવાળ વધી શકે છે.

Join Our WhatsApp Community

ખંજવાળમાંથી ત્વરિત રાહત મેળવવાના ઘરેલું ઉપાયો

જો તમને ખંજવાળ આવતી હોય, તો તમે કેટલાક સરળ ઘરેલું ઉપાયો દ્વારા તરત રાહત મેળવી શકો છો:
કેલેમાઈન લોશન : ત્વચાના નિષ્ણાતો માને છે કે આ લોશન લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને ખંજવાળમાં તરત ફાયદો થાય છે.
નેચરલ ઓઈલ : લેવેન્ડર અથવા પેપરમિન્ટ ઓઈલને કોલ્ડ ક્રીમ સાથે મિક્સ કરીને લગાવવાથી સોજો અને ખંજવાળ ઓછી થાય છે.
આઈસ પેક : જો ગરમીને કારણે ખંજવાળ આવતી હોય, તો બરફનો શેક કરવાથી ત્વચાની બળતરા અને એલર્જીમાં રાહત મળે છે.

આ સમાચાર પણ વાંચો : Miraculous Escape in Lower Parel: લોઅર પરેલ: ટેમ્પોની જોરદાર ટક્કરથી પોલીસ કોન્સ્ટેબલ બ્રિજ પરથી નીચે પટકાયા, આબાદ બચાવ

ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?

જો ખંજવાળ બે અઠવાડિયાથી વધુ સમય સુધી રહે, આખા શરીરમાં ફેલાય અથવા તેની સાથે તાવ અને થાક લાગે, તો તેને અવગણશો નહીં. આ કોઈ ગંભીર આંતરિક બીમારી અથવા ડાયાબિટીસ જેવી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. હેલ્ધી ડાયેટ લો અને જો જરૂર જણાય તો લોહીની તપાસ કરાવો જેથી વિટામિન્સની ચોક્કસ ઉણપ જાણી શકાય.

World Cancer Day 2026: સાવધાન! ભારતમાં આ 5 કેન્સર બની રહ્યા છે ‘સાયલન્ટ કિલર’, સામાન્ય દેખાતા આ લક્ષણોને ક્યારેય ન કરો નજરઅંદાજ
Health Benefits of Amla Powder: શરીરની ગંદકી સાફ કરવા માટે બેસ્ટ છે આમળાનું પાણી! પાચન સુધરશે અને ચહેરા પર આવશે કુદરતી ગ્લો
Sweet Lime Juice Benefits: મોસંબી નો જ્યુસ પીતા પહેલા સાવધાન! ફાયદા મેળવવા માટે આટલી બાબતોનું રાખવું પડશે ધ્યાન, જાણો કયા સમયે પીવું સૌથી શ્રેષ્ઠ
Health Tips: જીમ ગયા વગર ઓગળશે પેટની ચરબી! દરરોજ સવારે પીવો તજનું પાણી, અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારી ફેરફાર
Exit mobile version