Site icon News Continuous Bureau | Mumbai

Post Covid Hip Replacement।યુવાનોમાં વધી રહ્યું છે હિપ રિપ્લેસમેન્ટનું પ્રમાણ, ૪૦% કેસ વધવા પાછળનું અસલી કારણ જાણીને ચોંકી જશો

Post Covid Hip Replacement। દિલ્હીમાં યોજાયેલી કોન્ફરન્સમાં દેશભરના ઓર્થોપેડિક ડોક્ટરોની મોટી ચેતવણી; થાપાના દુખાવાને સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવાની સલાહ

Post Covid Hip Replacement।યુવાનોમાં વધી રહ્યું છે હિપ રિપ્લેસમેન્ટનું પ્રમાણ, ૪૦% કેસ વધવા પાછળનું અસલી કારણ જાણીને ચોંકી જશો

Post Covid Hip Replacement।યુવાનોમાં વધી રહ્યું છે હિપ રિપ્લેસમેન્ટનું પ્રમાણ, ૪૦% કેસ વધવા પાછળનું અસલી કારણ જાણીને ચોંકી જશો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Post Covid Hip Replacement। દેશમાં કોરોના મહામારીના વર્ષો બાદ હવે એક નવી મેડિકલ આફત સામે આવી રહી છે. ડોક્ટરોએ સત્તાવાર ચેતવણી આપી છે કે જે દર્દીઓને કોવિડની સારવાર દરમિયાન મોટા પ્રમાણમાં સ્ટેરોઇડ્સ આપવામાં આવ્યા હતા, તેમના થાપાના સાંધા અને કૂલાના હાડકાં અંદરથી નબળા પડીને ખરાબ થઈ રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ બીમારી હવે વૃદ્ધોમાં નહીં પરંતુ ૩૦ થી ૪૦ વર્ષના યુવાનોમાં ખૂબ જ ઝડપથી વધી રહી છે. કોરોના સમયે દર્દીઓનો જીવ બચાવવા માટે સ્ટેરોઇડ દવાઓ આપવી અનિવાર્ય હતી, પરંતુ હવે તેના સાઈડ ઈફેક્ટ્સ લાંબા ગાળે બહાર આવી રહ્યા છે.

થાપાના હાડકાં સુધી બ્લડ સપ્લાય બંધ થતાં વધ્યું જોખમ

દિલ્હી ઓર્થોપેડિક એસોસિએશન અને ઇન્ડિયન આર્થ્રોપ્લાસ્ટી એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે ‘દિલ્હી હિપ ૩૬૦ કોન્ફરન્સ’ ના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં હાજર મેક્સ હોસ્પિટલના ડો.એ જણાવ્યું કે, કોરોના બાદ યુવા દર્દીઓમાં હિપ ઓપરેશનના કેસોમાં ૪૦ ટકા સુધીનો ઉછાળો આવ્યો છે. નિષ્ણાતોના મતે, હાઈ ડોઝમાં લેવાયેલા સ્ટેરોઇડ્સ કૂલાના હાડકાં સુધી થતા લોહીના પ્રવાહને (બ્લડ સપ્લાય) અવરોધે છે. તેને તબીબી ભાષામાં એવીએન (AVN – એવાસ્ક્યુલર નેક્રોસિસ) અને હિપ આર્થરાઈટિસ કહેવામાં આવે છે. આ નુકસાન સ્ટેરોઇડ લીધાના થોડા મહિનાઓ પછી જ શરૂ થઈ જાય છે.

સામાન્ય દુખાવો સમજીને વાલીઓ અને યુવાનો કરે છે ભૂલ

આ બીમારીની સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની શરૂઆત ખૂબ જ શાંતિથી થાય છે. દર્દીને એવું લાગે છે કે કમર અથવા સાથળમાં માત્ર સ્નાયુઓનો સામાન્ય દુખાવો છે, જેથી તેઓ તેને નજરઅંદાજ કરતા રહે છે. પુષ્પાંજલિ મેડિકલ સેન્ટરના ડો એ જણાવ્યું કે, જ્યારે દર્દીઓ ડોક્ટર પાસે પહોંચે છે ત્યાં સુધીમાં હાડકું ખરાબ થઈ ચૂક્યું હોય છે. જો શરૂઆતના તબક્કામાં જ થાપા કે સાથળના દુખાવા માટે એમઆરઆઈ (MRI) ટેસ્ટ કરાવી લેવામાં આવે, તો ઓપરેશન વિના પણ હાડકાંને બચાવી શકાય છે. પરંતુ મોડું થવાના કિસ્સામાં સર્જરી સિવાય કોઈ રસ્તો બચતો નથી.

રોબોટિક ટેકનોલોજીથી ઓપરેશન બન્યું સરળ

જો કે, મેડિકલ સાયન્સમાં પ્રગતિને કારણે હવે હિપ રિપ્લેસમેન્ટ ઓપરેશન પહેલા કરતાં ઘણું સુરક્ષિત અને આધુનિક બની ગયું છે. મેક્સ હોસ્પિટલ ના ડો. એ જણાવ્યું કે, રોબોટિક ટેકનોલોજી અને આધુનિક ઇમ્પ્લાન્ટ્સની મદદથી આ સર્જરી અત્યંત સફળ રહી છે અને દર્દીઓ ખૂબ ઝડપથી સાજા થઈને સામાન્ય જીવન જીવી શકે છે. કોન્ફરન્સમાં ડોક્ટરોએ ભવિષ્ય માટે ત્રણ મોટી વાતો પર ભાર મૂક્યો છે. પ્રથમ, કોવિડથી સાજા થયેલા લોકોએ થાપાના દુખાવાને હળવાશથી ન લેવો. બીજું, ડોક્ટરની સલાહ વિના ક્યારેય સ્ટેરોઇડ દવાઓ ન લેવી અને ત્રીજું, દેશભરના ડોક્ટરોને આ નવી ટેકનોલોજીની તાલીમ આપવી જેથી ભવિષ્યના મોટા સંકટને રોકી શકાય.

👉 આ સમાચાર વાચો:
Mumbai ACB Raid। બેસ્ટ (BEST) નો કર્મચારી એસીબીના સિકંજામાં કેફે માલિક પાસે લાંચ માંગવી ભારે પડી

Aquagenic Pruritus Rare Skin Condition ૫ વર્ષથી પાણીમાં રહેતો યુવક, બહાર આવતા જ થાય છે અસહ્ય બળતરા દુર્લભ બીમારીએ તબીબોને પણ મૂક્યા મુંઝવણમાં
FSSAI Appeal to Minimize Food Waste ખાદ્ય સુરક્ષા માટે FSSAI નું મોટું અભિયાન ફૂડ વેસ્ટેજ અટકાવવા સાથે પે્કડ ફૂડ પર લેબલ વાંચવાની આદત પાડવા આહ્વાન
ayurvedic seeds સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ ૬ આયુર્વેદિક સીડ્સ, રોગોને રાખશે કોસો દૂર અને વધારશે ઇમ્યુનિટી
Milk Purity Check Tips ડિટર્જન્ટ કે સ્ટાર્ચ? તમે જે દૂધ પીઓ છો તેમાં શું ભળેલું છે? ઘરે જ આ રીતે કરો દૂધનું ‘રિયાલિટી ચેક’!
Exit mobile version