Site icon News Continuous Bureau | Mumbai

Breakfast Study: શું હવે સવારનો નાસ્તો ફરજિયાત નથી? નવા રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Breakfast Study: 3,400 લોકો પર થયેલી સ્ટડીમાં જાણવા મળ્યું કે નાસ્તો ન કરવાથી મગજની કાર્યક્ષમતા પર કોઈ ખાસ અસર થતી નથી

New Study Reveals: Breakfast Not Essential for Brain Function

New Study Reveals: Breakfast Not Essential for Brain Function

News Continuous Bureau | Mumbai

Breakfast Study: સવારના નાસ્તા (Breakfast)ને અત્યાર સુધી દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવતું હતું. પરંતુ નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નાસ્તો ન કરવાથી મોટા લોકોના મગજની કાર્યક્ષમતા પર કોઈ ખાસ અસર થતી નથી. 3,400થી વધુ લોકો પર થયેલી સ્ટડીમાં આ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

Join Our WhatsApp Channel

સ્ટડીના આંકડા શું કહે છે?

રિસર્ચર્સે 63 અલગ અલગ સ્ટડી અને 3,400થી વધુ લોકો પર મેમરી ટેસ્ટ અને એક્સપેરિમેન્ટ કર્યા. પરિણામે જાણવા મળ્યું કે નાસ્તો કરનાર અને ન કરનાર લોકોના મગજની એક્ટિવિટી માં માત્ર 0.2 યુનિટનો તફાવત જોવા મળ્યો, જે નગણ્ય ગણાય છે. એટલે કે નાસ્તો ન કરવાથી મગજની કાર્યક્ષમતા પર કોઈ મોટો અસર થતો નથી.

મગજને એનર્જી ક્યાંથી મળે છે?

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, મગજને એનર્જી માત્ર ખોરાકમાંથી નહીં પણ શરીરમાં રહેલા ફેટ અને કેટોન  થી પણ મળે છે. જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી ભૂખ્યો રહે છે ત્યારે બ્લડ શુગર લેવલ ઘટે છે, પણ શરીર કેટોનના માધ્યમથી મગજને જરૂરી એનર્જી પૂરી પાડે છે. 8, 12 કે 16 કલાક સુધી ફાસ્ટ કરવાથી મેમરી, ફોકસ અને નિર્ણય ક્ષમતા પર કોઈ અસર થતી નથી.

આ સમાચાર પણ વાંચો : Black Egg vs White Egg: કાળું ઈંડુ કે સફેદ ઈંડુ? જાણો બેમાંથી કોણ છે પ્રોટીનનો અસલી બાદશાહ

બાળકો માટે નાસ્તો જરૂરી

જ્યારે મોટા લોકો માટે નાસ્તો ન કરવો સુરક્ષિત માનવામાં આવે છે, ત્યારે બાળકો માટે નાસ્તો ખૂબ જ જરૂરી છે. રિસર્ચમાં જણાવાયું છે કે બાળકો વિકાસની અવસ્થામાં હોય છે, તેથી તેમને નિયમિત પૌષ્ટિક નાસ્તો  આપવો જરૂરી છે જેથી તેમના શરીર અને મગજને પૂરતો પોષણ મળી શકે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Aquagenic Pruritus Rare Skin Condition ૫ વર્ષથી પાણીમાં રહેતો યુવક, બહાર આવતા જ થાય છે અસહ્ય બળતરા દુર્લભ બીમારીએ તબીબોને પણ મૂક્યા મુંઝવણમાં
FSSAI Appeal to Minimize Food Waste ખાદ્ય સુરક્ષા માટે FSSAI નું મોટું અભિયાન ફૂડ વેસ્ટેજ અટકાવવા સાથે પે્કડ ફૂડ પર લેબલ વાંચવાની આદત પાડવા આહ્વાન
ayurvedic seeds સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે આ ૬ આયુર્વેદિક સીડ્સ, રોગોને રાખશે કોસો દૂર અને વધારશે ઇમ્યુનિટી
Milk Purity Check Tips ડિટર્જન્ટ કે સ્ટાર્ચ? તમે જે દૂધ પીઓ છો તેમાં શું ભળેલું છે? ઘરે જ આ રીતે કરો દૂધનું ‘રિયાલિટી ચેક’!
Exit mobile version