News Continuous Bureau | Mumbai
Saffron Water Benefits:જો તમે કેસરને માત્ર વાનગીનો સ્વાદ વધારવા માટેનો મસાલો સમજતા હોવ, તો આ ગેરસમજ દૂર કરવાની જરૂર છે. કેસર અને કેસરનું પાણી તમારા સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. દરરોજ સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાથી શરીર પર અનેક સકારાત્મક અસરો જોવા મળે છે, જે તમને લાંબા ગાળે અનેક બીમારીઓથી સુરક્ષિત રાખે છે.
બીમારીઓનું જોખમ ઘટશે અને પાચનતંત્ર સુધરશે
ગેસ અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેસરના પાણીનું સેવન કરી શકાય છે. તે પાચનતંત્ર ને મજબૂત બનાવે છે. આ ઉપરાંત, કેસરનું પાણી મૂડ સુધારવામાં પણ કારગર સાબિત થાય છે. જો તમે તણાવ અને ચિંતાને ઓછી કરવા માંગતા હોવ, તો ડાયટ પ્લાનમાં કેસરના પાણીનો સમાવેશ કરી શકાય છે. પોષક તત્વોથી ભરપૂર કેસરનું પાણી ઊંઘની ગુણવત્તા સુધારવામાં પણ મદદરૂપ થાય છે.
આ સમાચાર પણ વાંચો : Water Supply Disrupted: પાણી પુરવઠો ખોરવાયો: માહિમમાં પાઇપલાઇન લીકેજને કારણે ખાર અને બાંદ્રામાં અછત, હજારો લિટર પાણીનો વ્યય
ઇમ્યુનિટી બૂસ્ટ થશે અને ત્વચામાં આવશે નિખાર
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અને વારંવાર બીમાર પડી જતા હોય, તેમના માટે કેસરનું પાણી વરદાન છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ પાણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ત્વચા માટે પણ કેસર અત્યંત ફાયદાકારક છે. તે ત્વચામાં કુદરતી નિખાર લાવે છે અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે.
કેવી રીતે બનાવવું કેસરનું પાણી?
એક કપ હુંફાળા પાણીમાં અથવા દૂધમાં 5-6 કેસરના તાંતણા નાખો. તેને આખી રાત અથવા ઓછામાં ઓછી 10-15 મિનિટ માટે પલળવા દો. જો તમે ઈચ્છો તો આ પાણીને હળવું ઉકાળી પણ શકો છો. આ ડ્રિંકનો સ્વાદ વધારવા માટે તમે તેમાં મધ અથવા ઈલાયચી પાવડર ઉમેરી શકો છો. આ હેલ્થ ડ્રિંકને ગાળીને સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલા પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
