News Continuous Bureau | Mumbai
Mosquitoes Bite: વરસાદી મોસમમાં મચ્છરો ની સંખ્યા વધી જાય છે, પણ કેટલાક લોકોને વધુ મચ્છર કરડે છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. રિસર્ચ મુજબ, શરીરથી નીકળતી ગરમી, કાર્બન ડાયોક્સાઈડ, સ્કિનની મહેક અને બ્લડ ગ્રુપ જેવા તત્વો મચ્છરોને આકર્ષે છે.
મચ્છર માટે આકર્ષણ: કાર્બન ડાયોક્સાઈડ
મચ્છરો કાર્બન ડાયોક્સાઈડ માટે ખૂબ સંવેદનશીલ હોય છે. જે લોકો વધુ ગરમી ઉત્પન્ન કરે છે અને વધુ CO₂ છોડે છે, તેમને મચ્છર વધુ કરડે છે.
મચ્છર માટે આકર્ષણ: શરીરની મહેક અને સ્કિન કમ્પાઉન્ડ
શરીર અને પરસેવા માં રહેલા અમોનિયા, લેક્ટિક એસિડ જેવા કમ્પાઉન્ડ્સ મચ્છરોને આકર્ષે છે. દરેક વ્યક્તિની સ્કિનની મહેક અલગ હોય છે, જે મચ્છરો માટે આકર્ષણનું કારણ બને છે.
આ સમાચાર પણ વાંચો : weight loss journey: ઓછું ખાવા છતાં પણ વજન માં નથી થતો ઘટાડો તો થઇ જાઓ સાવધાન, હોઈ શકે છે પોષણ ની અછત
મચ્છર માટે આકર્ષણ: બ્લડ ગ્રુપ અને આલ્કોહોલ
O બ્લડ ગ્રુપ ધરાવનારા લોકોને મચ્છર વધુ કરડે છે. ઉપરાંત, જે લોકો આલ્કોહોલ પીવે છે, તેમના શરીરમાંથી નીકળતી ઇથેનોલની મહેક પણ મચ્છરોને આકર્ષે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)