News Continuous Bureau | Mumbai
Shastriji Maharaj: 1865 માં આ દિવસે જન્મેલા, શાસ્ત્રીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને બોચાસનવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક હતા. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. તેમણ ગુણાતીતાનંદ સ્વામી ના શિષ્ય પ્રાગજી ભગત ને ગુરુ તરીકે સ્વીકાર્યાં.
