Site icon News Continuous Bureau | Mumbai

Aarti: આરતી અને મંત્રજાપ દરમિયાન ઘણા લોકો આંખો રાખે છે બંધ, જાણો પુરાણો માં આ વિશે શું લખ્યું છે.

Aarti: સ્કંદ અને પદ્મ પુરાણ મુજબ ભગવાનના દર્શનથી મળે છે વધુ પુણ્ય, આંખો બંધ કરવી પણ ભક્તિનો એક માર્ગ

Aarti Should Eyes Be Closed or Open Know What Scriptures Say

Aarti Should Eyes Be Closed or Open Know What Scriptures Say

News Continuous Bureau | Mumbai

Aarti:  હિંદુ ધર્મમાં આરતી (Aarti) અને મંત્રજાપને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઘણા લોકો આરતી દરમિયાન આંખો બંધ રાખે છે, જ્યારે કેટલાક લોકો ભગવાનના વિગ્રહના દર્શન સાથે આરતી કરે છે. સ્કંદ અને પદ્મ પુરાણ મુજબ આરતી દરમિયાન આંખો ખુલ્લી રાખવી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી ભગવાન સાથે આત્મિક જોડાણ થાય છે.

Join Our WhatsApp Channel

પાવરફુલ દર્શન: આંખો ખુલ્લી રાખવાથી મળે છે વધુ પુણ્ય

સ્કંદ અને પદ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે આરતી અને મંત્રજાપ દરમિયાન જો ભક્ત ભગવાનના વિગ્રહના દર્શન કરે તો તેને વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. આંખો ખુલ્લી રાખવાથી ભક્ત ભગવાન સાથે આત્મિક રીતે જોડાય છે અને ભક્તિનો અનુભવ વધુ ઊંડો બને છે.

ભક્તિનો માર્ગ: આંખો બંધ કરવી પણ યોગ્ય છે

આંખો બંધ કરીને આરતી કરવી પણ ખોટું નથી. ઘણા ભક્તો મનથી ભગવાન સાથે જોડાવા માગે છે અને બહારની નેગેટિવ એનર્જીથી દૂર રહેવા માટે આંખો બંધ કરે છે. આ રીતે ભક્ત પોતાનાં આંતરિક ચેતનાને અનુભવે છે.

આ સમાચાર પણ વાંચો : Janmashtami 2025: જન્માષ્ટમી પહેલા ઘરમાં લાવો લડ્ડુ ગોપાલ માટે આ વસ્તુઓ, મળશે શ્રીકૃષ્ણનો આશીર્વાદ

શાંતિપૂર્ણ મન: ભક્તિનો સાચો અનુભવ

આંખો ખુલ્લી હોય કે બંધ, જો મન શાંતિપૂર્ણ હોય અને ભક્તિથી ભરેલું હોય તો આરતી અને મંત્રજાપનો સાચો અનુભવ થાય છે. આ અનુભવ વ્યક્તિને આધ્યાત્મિક ઊંચાઈ તરફ લઈ જાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version