News Continuous Bureau | Mumbai
Vastu Shastra : વાસ્તુ અનુસાર ઘરમાં સામાન યોગ્ય દિશામાં રાખવો ખૂબ જ જરૂરી બની જાય છે. જો વાસ્તુ મુજબ સમાન ને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો ઘરમાં વાસ્તુ દોષ આવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિમાં ઘટાડો થાય છે. અહીં અમે તમને વાસ્તુ અનુસાર કેટલીક મૂર્તિઓ વિશે જણાવી રહ્યા છીએ, તેમને ઘરમાં રાખવાથી તમે સમૃદ્ધિ લાવી શકો છો, આનાથી ઘરમાં આવકના માધ્યમમાં વધારો થશે, સાથે જ ધન પણ કાયમી રહેશે. અહીં જાણો આ મૂર્તિઓ વિશે
1. કાચબો: કાચબો દેવી લક્ષ્મી માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વાસ્તવમાં સમુદ્રની મોટાભાગની વસ્તુઓ જેમ કે શંખ, ગાય અને કાચબા નો સંબંધ દેવી લક્ષ્મી સાથે હોવાનું માનવામાં આવે છે. કાચબાને વિષ્ણુજીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેને ઘરમાં ઉત્તર દિશામાં રાખવું જોઈએ. ઘરમાં કે મંદિરમાં તેના દર્શન કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી.
2. હાથી: હાથીને ધન અને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે. ગજાનનને મા ગજલક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેને ઘરમાં લગાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
3. માછલી: ફેંગશુઈ અને વાસ્તુમાં માછલીને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ માટે તમે ફિશ એક્વેરિયમ રાખી શકો છો, પરંતુ માછલીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ સારી વાત છે.
આ સમાચાર પણ વાંચો : માતા લક્ષ્મીને છે પ્રિય એવું પારિજાત નું વૃક્ષ આ દિશામાં લગાવો-માતા લક્ષ્મીનો રહેશે વાસ-બની જશો માલામાલ
Join Our WhatsApp Community