અહો ભાગ્ય અમારા..!! વીરપુરના જલારામ બાપા તરફથી રામલ્લાને આજીવન થાળ ધરાવાશે.. સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ.. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

05 ડિસેમ્બર 2020

આજે ગુજરાતી ઓ માટે રૂડાં સમાચાર આવ્યાં છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવસે. આ મુદ્દે બાપાના પરિવારજનોએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજુઆત કરી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાનો સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી હવે આજીવન રામલલાનો થાળ વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે.

આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ એકબીજાના મોં મીઠા કરાવીને આ પ્રસંગની ઉજવણી કરી હતી. ગામલોકો દ્વારા ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી રહયાં છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More