ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
કોરોના કાળ વચ્ચે ગત વર્ષે ચારધામ યાત્રા ઓ સ્થગીત કરવામાં આવી હતી તેમજ યાત્રીઓની સંખ્યા ઓછી રહી હતી. જોકે હવે ચાલુ વર્ષે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે.
મે મહિનાની 18 તારીખે સવારે ચાર વાગ્યે પંદર મિનિટે શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. વસંત પંચમીના અવસર પર ચારધામ ઓથોરિટી દ્વારા આ તારીખની જાહેરાત કરવામાં આવી.સ્વાભાવિક છે કે આ તારીખથી એક દિવસ પહેલા કે પછી શ્રી કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.
