Site icon

વાસ્તુ ટિપ્સ- ઘરમાં કપૂર સળગાવવાથી થાય છે અચાનક ધનની પ્રાપ્તિ- દુશ્મનો પર પણ પ્રાપ્ત થાય છે વિજય

News Continuous Bureau | Mumbai

હિન્દુ ધર્મમાં કપૂરનું(camphor) ઘણું મહત્વ છે, કપૂર સળગાવવાથી ઘરની નકારાત્મકતા(negativity) દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. એટલા માટે તમે જોયું જ હશે કે જો ઘરમાં યજ્ઞ-હવન હોય તો સમાપન સમયે કપૂરની આરતી થાય છે. તેનાથી ઘરની શુદ્ધિ પણ થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ પણ ઝડપથી પૂરી થાય છે. નવરાત્રિ (navratri)આવી રહી છે અને આ દરમિયાન પૂજામાં પણ કપૂરનું વિશેષ મહત્વ છે. શું તમે જાણો છો કે કપૂર માત્ર ઘરને શુદ્ધ નથી કરતું પણ તમને ધનવાન પણ બનાવી શકે છે. હા, અમે તમને એવી ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે કપૂર સળગાવીને પણ ધનવાન બની શકો છો .

Join Our WhatsApp Community

– જો તમે તમારી આર્થિક સ્થિતિ(financial position) સુધારવા માંગો છો, તો ચાંદીના પાત્રમાં કપૂર સાથે લવિંગ સળગાવી દો, તમે જોશો કે આ કરવાથી તમને પૈસાની કમી નહીં થાય.

– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો મૂકીને સાંજે (evening)તેને સળગાવી દો અને તે ફૂલની સાથે મા દુર્ગાને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમને અચાનક ઘણા પૈસા મળી શકે છે, જો તમારા પૈસા ક્યાંક ફસાઈ ગયા છે તો તમને તે પૈસા પણ પાછા મળી જશે. જો તમે આ ઉપાય ઓછામાં ઓછા 43 દિવસ સુધી દરરોજ કરો છો, તો તમે જોશો કે તમને ઘણો ફાયદો થઈ રહ્યો છે. કપૂર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

– કપૂરના ઉપયોગથી પિતૃદોષ(pitru dosh) પણ સમાપ્ત થાય છે, અને ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. જો ઘરની વાસ્તુ ખોટી હોય તો રોજ કપૂર સળગાવો, આમ કરવાથી વાસ્તુ દોષ(vastu dosh) પણ દૂર થાય છે. તેના માટે તમારે કપૂરને ઘીમાં બોળીને સવાર-સાંજ સળગાવવાનું છે. આમ કરવાથી આ દોષોની અસર ઓછી થઈ જાય છે.

– કપૂર બાળવાથી ના માત્ર ધન લાભ થતો અને નકારાત્મક ઉર્જા(negative vibes) દૂર થાય છે પરંતુ દુશ્મનોની ખરાબ નજરથી પણ રક્ષણ મળે છે. તેને બાળવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે.

– જો તમે તમારું નસીબ ચમકાવવા માંગતા હોવ તો સવારે પાણીમાં કપૂરના તેલના(camphor oil) થોડા ટીપા નાંખો અને તે પાણીથી સ્નાન કરો, આમ કરવાથી તમારું ભાગ્ય ચમકશે.

– જો તમને દરરોજ ખરાબ સપના(bad dreams) આવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સવારે અને સાંજે ઘરમાં કપૂર સળગાવો, આ કરવાથી ખરાબ સપના બંધ થાય છે અને વાતાવરણ શાંત થાય છે.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- જો તમારા ઘરમાં પણ તુલસી વારંવાર સુકાઈ રહ્યા હોય તો તમારી સાથે બની શકે છે આ ઘટના

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Today’s Horoscope : આજનો દિવસ:૯ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Numerology: અંકશાસ્ત્ર: સ્વભાવે રહસ્યમય પણ પાર્ટનર તરીકે હોય છે બેસ્ટ! જાણો ‘મૂલાંક 7’ ધરાવતા લોકોની ખાસિયતો
Exit mobile version