Site icon

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર કરો તુલસીના આ ઉપાય, ભગવાન વિષ્ણુ આપશે આશીર્વાદ

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી પર તુલસીના ઉપાયથી જીવનમાં આવે છે શાંતિ અને સમૃદ્ધિ

Devshayani Ekadashi Perform These things of Tulsi Rituals for Blessings of Prosperity

Devshayani Ekadashi Perform These things of Tulsi Rituals for Blessings of Prosperity

News Continuous Bureau | Mumbai

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી હિંદુ ધર્મના મહત્વપૂર્ણ દિવસોમાંથી એક છે. આ દિવસે ભગવાન વિષ્ણુ  યોગનિદ્રા માં પ્રવેશ કરે છે અને ચાતુર્માસ ની શરૂઆત થાય છે. વર્ષ 2025માં આ એકાદશી 6 જુલાઈના રોજ મનાવવામાં આવશે. આ દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ  પ્રાપ્ત થાય છે.

Join Our WhatsApp Community

તુલસી પર ચઢાવો લાલ ચુંદડી

દેવશયની એકાદશી પર તુલસી પર લાલ રંગની ચુંદડી ચઢાવવાથી ઘરમાં શાંતિ અને દાંપત્ય જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. ચુંદડી ચઢાવ્યા પછી તુલસીની પૂજા કરવી જરૂરી છે.

તુલસી પર બાંધો કલાવા

આ દિવસે તુલસી પર કલાવા (નારાછડી) બાંધવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે તમારી ઈચ્છા પૂર્ણ થાય ત્યારે આ કલાવા ખોલી કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત  કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Ketu Nakshatra Transit 2025: 6 જુલાઈ એ થશે કેતુ નું નક્ષત્ર પરિવર્તન, આ ત્રણ રાશિ ના જાતકો નું ચમકી ઉઠશે ભાગ્ય

તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો

ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ પ્રિય છે. તેથી દેવશયની એકાદશી પર તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ. સાથે સાથે તુલસીની 3 કે 7 વાર પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાયથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે તુલસીના પાંદડા ન તોડવા અને તુલસી પર પાણી ન ચડાવવું, કારણ કે માતા તુલસી પણ આ દિવસે વ્રત રાખે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Surya Nakshatra Parivartan 2026: રાહુના ઘરમાં પહોંચ્યો ‘ગ્રહોનો રાજા’ સૂર્ય! ૧૫ દિવસ સુધી આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; જાણો કેવો રહેશે તમારા પર પ્રભાવ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Surya Grahan 2026 Rashifal: વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે: જાણો મેષથી મીન સુધી તમામ રાશિઓ પર કેવી થશે અસર; કોના માટે ખુલશે પ્રગતિના દ્વાર?
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version