Site icon News Continuous Bureau | Mumbai

કાંડા ઘડિયાળને તકિયા નીચે રાખીને સૂવાની ભૂલ કદી ના કરો-નહીં તો કરવો પડશે આ મુશ્કેલી નો સામનો

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો સૂતી વખતે હાથમાં પહેરેલી ઘડિયાળને (watch)તકિયા નીચે રાખીને સૂઈ જાય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય પણ તકિયા નીચે ન રાખવી જોઈએ. તકિયા નીચે ઘડિયાળ રાખીને સૂવાથી તેનો અવાજ માત્ર ઊંઘમાં ખલેલ પહોંચાડતો નથી, પરંતુ તેમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર કરે છે. આ તરંગોને કારણે આખા રૂમમાં નકારાત્મક ઉર્જા (negative vibes)ઉત્પન્ન થાય છે જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને તણાવ પેદા કરે છે. તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવે છે.

Join Our WhatsApp Channel

– વાસ્તુ અનુસાર, ફિટિંગ વગરની ઘડિયાળ એટલે કે ઢીલા પટ્ટાવાળી(loose watch) ઘડિયાળ ક્યારેય ન પહેરવી જોઈએ, કારણ કે આવી ઘડિયાળ પહેરવાથી તમારું ધ્યાન ભટકાવી શકે છે. સાથે જ તમને કોઈપણ કાર્યમાં સફળતા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, કાંડા ઘડિયાળ(wrist watch) પહેરતી વખતે, ધ્યાનમાં રાખો કે પટ્ટા કાંડાના હાડકાની નજીક હોય.

– કાંડા ઘડિયાળ પહેરતી વખતે ધ્યાન રાખો કે ઘડિયાળનો ડાયલ(watch dial) બહુ મોટો ન હોય. આવી ઘડિયાળ પહેરવાથી તમને અંગત અને વ્યવસાયિક જીવનમાં(business) મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તે જ સમયે, નાના ડાયલ સાથે ઘડિયાળ પહેરવાનું પણ ટાળો. વાસ્તુ અનુસાર ઘડિયાળના ડાયલની વાત કરીએ તો ગોળ અથવા ચોરસ આકારનો ડાયલ શુભ માનવામાં આવે છે.

– વાસ્તુ અનુસાર સોનેરી અને ચાંદી રંગની ઘડિયાળ ખૂબ જ શુભ(lucky) માનવામાં આવે છે. જો તમે નોકરીના ઈન્ટરવ્યુ કે પરીક્ષા આપવા જઈ રહ્યા હોવ તો ગોલ્ડન કે સિલ્વર કલરની જ ઘડિયાળ પહેરો.

આ સમાચાર પણ વાંચો : તમારા ઘરની દરેક દિશાને રંગોથી કરો સંતુલિત-પૈસાનો થશે પુષ્કળ વરસાદ

Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version