Site icon News Continuous Bureau | Mumbai

Gemstone Guide: કોણે ધારણ કરવું જોઈએ ‘માણેક’ રત્ન? જાણો સૂર્યના આ રત્નને પહેરવાના નિયમો અને અદભૂત ફાયદા

Gemstone Guide: આત્મવિશ્વાસ અને પદ-પ્રતિષ્ઠા વધારવા માટે માણેક છે શ્રેષ્ઠ, રવિવારે વિધિવત પૂજા સાથે ધારણ કરવાથી જ મળશે સચોટ પરિણામ

Gemstone Guide Who Should Wear Ruby (Manik) Know the Benefits, Rules, and Rituals for Success

Gemstone Guide Who Should Wear Ruby (Manik) Know the Benefits, Rules, and Rituals for Success

News Continuous Bureau | Mumbai

Gemstone Guide: રત્નશાસ્ત્રમાં કુલ ૯ રત્નોનું વર્ણન મળે છે, જે ચોક્કસ ગ્રહો સાથે જોડાયેલા છે. તેમાંથી એક છે ‘માણેક’ (Ruby). આ રત્નનો સંબંધ ગ્રહોના રાજા સૂર્ય સાથે હોવાથી તેને સેલ્ફ-કોન્ફિડન્સ, સન્માન અને નેતૃત્વ શક્તિ વધારનાર માનવામાં આવે છે. માણેક તેના ઘેરા લાલ રંગ અને ચમકને કારણે અલગ ઓળખ ધરાવે છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને યોદ્ધાઓ તેને શક્તિનું પ્રતિક માનતા હતા. સૂર્ય ગ્રહ સાથે સંબંધિત આ રત્ન પહેરવાથી કુંડળીમાં સૂર્યનો દોષ દૂર થાય છે અને વ્યક્તિની કીર્તિમાં વધારો થાય છે.જ્યોતિષીઓના મતે, જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય અથવા સૂર્યને લગતા દોષ હોય, તેમના માટે માણેક રત્ન અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને મેષ રાશિ ના જાતકો માટે આ રત્ન વિશેષ શુભ માનવામાં આવે છે. જો કે, માણેક દરેક વ્યક્તિને માફક આવે તે જરૂરી નથી, તેથી તેને ધારણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

Join Our WhatsApp Channel

માણેક રત્ન પહેરવાના મુખ્ય ફાયદા

નેતૃત્વ શક્તિ: માણેક ધારણ કરવાથી આત્મવિશ્વાસ, નેતૃત્વ શક્તિ અને માનસિક મજબૂતી મળે છે.
કૌશલ્યમાં સુધારો: તે ક્રિએટિવિટી, કોમ્યુનિકેશન સ્કીલ્સ અને કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદરૂપ છે.
નકારાત્મકતાથી બચાવ: સંબંધોમાં સુમેળ જાળવવા અને નકારાત્મક ઉર્જાથી બચાવવા માટે પણ આ રત્ન સહાયક છે.
સ્વાસ્થ્ય લાભ: ઘણા લોકો તેને બ્લડ સર્ક્યુલેશન અને એનર્જી લેવલમાં સુધારા સાથે પણ જોડે છે.

આ સમાચાર પણ વાંચો : Silent Bone Loss Prevention: ૩૦ વર્ષની ઉંમર પછી હાડકાંને મજબૂત કેવી રીતે રાખવા? જાણો હાડકાં નબળા પડવાના કારણો અને બચવાના ઘરેલું ઉપાયો.

માણેક ધારણ કરવાની સાચી રીત અને નિયમો

માણેક રત્નનો પૂરો લાભ મેળવવા માટે તેને ચોક્કસ વિધિ દ્વારા ધારણ કરવો જોઈએ:
ધાતુ: માણેકને સોના અથવા તાંબાની વીંટીમાં જ જડાવવો જોઈએ.
આંગળી: તેને જમણા હાથની અનામિકા (રિંગ ફિંગર) માં ધારણ કરવામાં આવે છે.
સમય: શુક્લ પક્ષના રવિવારે સવારે ૫ થી ૭ વાગ્યાની વચ્ચે તેને પહેરવો સૌથી શુભ છે.
શુદ્ધિકરણ: વીંટી પહેરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ.
મંત્ર: ધારણ કરતી વખતે ‘ॐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ’ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.

આ બાબતનું ખાસ ધ્યાન રાખો

માણેક રત્ન જ્યારે ધારણ કરો ત્યારે તે તમારી ત્વચાને સ્પર્શવો જરૂરી છે, તો જ તેની સકારાત્મક અસરો જોવા મળે છે. સૂર્યના દોષોથી મુક્તિ મેળવવા અને સરકારી કાર્યોમાં સફળતા માટે આ રત્ન અચૂક માનવામાં આવે છે. જો કે, રત્ન ધારણ કર્યા પછી જો કોઈ નકારાત્મક ફેરફાર અનુભવાય, તો તેને તુરંત ઉતારી લેવો જોઈએ.

 

Today’s Horoscope : આજનો દિવસ:૭ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૫ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Trigrahi Yog on Janmashtami 2026 કૃષ્ણ જન્માષ્ટમીએ રચાશે અદભુત ત્રિગ્રહી યોગ, આ 4 રાશિના જાતકોની પલટાઈ જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૩ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version