Guru Asta 2025: ગુરુ ના અસ્ત થવા થી શુભ કાર્યમાં આવશે વિઘ્ન, જાણો કઈ રાશિઓ પર પડશે અસર

Guru Asta 2025: 11 જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ અસ્ત રહેશે, લગ્ન અને શુભ કાર્ય માટે આ સમય યોગ્ય નથી.

by Zalak Parikh
Guru Asta 2025 Jupiter sets on June 11 auspicious work to be avoided till July 7

News Continuous Bureau | Mumbai

Guru Asta 2025: વૈદિક પંચાંગ અનુસાર, 11 જૂન 2025ના રોજ ગુરુ ગ્રહ પશ્ચિમ દિશામાં અસ્ત થવાનો છે અને 7 જુલાઈના રોજ પૂર્વ દિશામાં પુનઃ ઉદય થશે. આ સમયગાળો વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને લગ્ન, નવું ઘર ખરીદવું કે અન્ય શુભ કાર્ય માટે ગુરુના અસ્તકાળ દરમિયાન મુહૂર્ત ટાળવું જોઈએ.

 

કઈ રાશિઓ માટે રહેશે ચિંતાજનક સમય?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગુરુના અસ્ત થવાથી ખાસ કરીને કર્ક, મીન અને ધનુ રાશિના જાતકોને આ સમયગાળામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના લોકો માટે આર્થિક રોકાણ, નવો વ્યવસાય શરૂ કરવો કે મહત્વના નિર્ણય લેવાનું ટાળવું યોગ્ય રહેશે.

આ સમાચાર પણ વાંચો : Trigrahi Yog 2025: 15 જૂનથી શરુ થતા ત્રિગ્રહી યોગ થી આ 5 રાશિઓ નું ટેન્શન ખતમ, સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ, જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

અશુભ અસરથી બચવા માટે કરો આ ઉપાય

  • ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા કરો.
  • કપાળ પર કેસર નો તિલક કરો.
  • ગુરુવારના દિવસે પીળા ફૂલ, ચંદન, કેળા અને મીઠાઈ અર્પણ કરો.
  • ઘરના દક્ષિણ-પૂર્વ  ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો.
  • ગુરુવારના દિવસે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો.
  • વિષ્ણુ મંદિરમાં કેસર અને ચણાની દાળ દાન કરો.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More