Hariyali Teej 2025: 7 જુલાઈના રોજ મનાવાશે હરિયાળી તીજ, મહિલાઓએ તેમની રાશિ અનુસાર કરેલા ઉપાયથી મળશે બમણું ફળ, સંબંધ માં આવશે મીઠાશ

Hariyali Teej 2025: 27 જુલાઈના રોજ હરિયાળી તીજ મનાવવામાં આવશે. આ દિવસે મહિલાઓ તેમની રાશિ અનુસાર આ ઉપાય કરશે તો તેમને બમણું ફળ મળશે તેમજ તેમના સંબંધો માં પણ મીઠાસ આવશે.

by Zalak Parikh
Hariyali Teej 2025 Women Should Perform Remedies Based on Zodiac Signs for Stronger Relationships

News Continuous Bureau | Mumbai

Hariyali Teej 2025:  હરિયાળી તીજ એ શ્રાવણ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મનાવાતો પવિત્ર વ્રત છે. આ વર્ષે તે 27 જુલાઈ, 2025ના રોજ છે. આ દિવસે સ્ત્રીઓ ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરીને અખંડ સૌભાગ્યની કામના કરે છે. એક જ્યોતિષાચાર્ય  અનુસાર, રાશિ અનુસાર કરેલા ઉપાયથી વ્રતનું ફળ બમણું  મળે છે.

 

રાશિ અનુસાર ઉપાય – જાણો શું કરવું

  • મેષ (Aries): શિવલિંગ પર ગંગાજળમાં કાળા તિલ મિક્સ કરીને અર્પણ કરો – શનિ દોષથી મુક્તિ મળે.
  • વૃષભ (Taurus): દૂધ અને દહીંથી મહાદેવનો અભિષેક કરો, વટ વૃક્ષ નું રોપણ કરો – પતિ અને સંતાનને દીર્ઘાયુ મળે.
  • મિથુન (Gemini): સુહાગિનને સુહાગ સામગ્રી ભેટ આપો, ઘરમાં બેલપત્ર નું રોપણ કરો – દુઃખોથી મુક્તિ મળે.
  • કર્ક (Cancer): મહાદેવને એક મુઠ્ઠી ચોખા ચઢાવો અને દાન કરો – ધન સમસ્યાઓ દૂર થાય.
  • સિંહ (Leo): શિવલિંગ પર ઘઉં ચઢાવો, પિપળ નું રોપણ કરો – પતિના આરોગ્ય માટે લાભદાયક.
  • કન્યા (Virgo): ધતૂરા અને તેના ફળ શિવલિંગ પર અર્પિત કરો, શિવના દ્વાદશ મંત્રનો જાપ કરો – તરક્કી મળશે.
  • તુલા (Libra): શિવલિંગ પર ગુલાબના ફૂલો ચઢાવો, માતા પાર્વતીને સુહાગ સામગ્રી ભેટ આપો.
  • વૃશ્ચિક (Scorpio): ખીર ભોગમાં અર્પિત કરો અને પછી કન્યાઓમાં વહેંચો – પવિત્રતા અને પ્રસન્નતા મળે.
  • ધનુ (Sagittarius): કાળા અડદ, જૂતા-ચપ્પલ દાન કરો – શનિ દોષ દૂર થાય.
  • મકર (Capricorn): કડીઓ ને સાકારમિશ્રિત લોટ ખવાડાવો – પિતૃદોષ અને દેવદોષથી મુક્તિ.
  • કુંભ (Aquarius): શિવલિંગ પર પંચામૃત થી અભિષેક કરો, શિવ ચાલીસા નો પાઠ કરો – શનિની સાડેસાતી થી રાહત.
  • મીન (Pisces): પાર્વતી ચાલીસા નો પાઠ કરો – દાંપત્ય જીવનમાં શાંતિ અને સુખ મળશે.

અખંડ સૌભાગ્ય માટે શ્રદ્ધા અને શિસ્ત જરૂરી

હરિયાળી તીજ માત્ર એક વ્રત નથી, તે સ્ત્રીઓના જીવનમાં આધ્યાત્મિક શક્તિ અને સંબંધોની મજબૂતી લાવે છે. રાશિ અનુસાર કરેલા ઉપાય વ્યક્તિના ગ્રહ દોષ દૂર કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે. આ દિવસે શ્રદ્ધા, શિસ્ત અને ભક્તિથી કરેલી પૂજા અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે.

આ સમાચાર પણ વાંચો: Solar Eclipse of 2025: 21 સપ્ટેમ્બરે 2025નું છેલ્લું સૂર્ય ગ્રહણ, સૂર્ય રહેશે કન્યા રાશિમાં, જાણો ભારતમાં દેખાશે કે નહીં

જ્યોતિષાચાર્યની સલાહ – ઉપાય કરતા પહેલા જાણો તમારી રાશિ

એક જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ દરેક રાશિ માટે અલગ ઉપાય છે, તેથી ઉપાય કરતા પહેલા પોતાની રાશિ જાણી લેવી જોઈએ. ઉપાય શ્રદ્ધા અને નિયમથી કરવાથી જ ફળ મળે છે. આ દિવસે પવિત્રતા અને સકારાત્મકતા જાળવવી ખૂબ જરૂરી છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More