25 ગાયો માટે અડધી રાત્રે જગત મંદિર દ્વારકા ના કમાડ ખુલ્યા, એક ગોવાળિયાની માનતા પૂરી થઈ. વાંચો એક ભાવનાત્મક ઘટના.

એક ગોવાળ કચ્છ થી સાડા ચારસો કિલોમીટરનું અંતર કાપીને જગત મંદિર દ્વારકા પહોંચ્યો અને અહીં અડધી રાત્રે 25 ગાયોએ દ્વારકાધીશના દર્શન કર્યા.

 News Continuous Bureau | Mumbai

ભગવાનમાં શ્રદ્ધા અને મનમાં આસ્થા ને કારણે ગમે તેટલી મોટી તકલીફ ને હંફાવી શકાય છે. આવી જ એક ઘટના જગત મંદિર દ્વારકા (Jagad Mandir Dwarka) ખાતે બની છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત એવા કચ્છમાં રહેનાર મહાદેવભાઈ દેસાઈ એ માનતા માની હતી કે જો તેની ગાયો lumpy વાયરસ (Lumpy virus) થી બચી જાય તો તે તમામ ગાયો સાથે જગત મંદિર દ્વારકા માં ઠાકોરજીના દર્શન (Darshan) કરશે.

Join Our WhatsApp Community


આખરે તેની માનતા પૂરી થઈ. lumpy જેવા વાયરસથી તેની તમામ ગાયો બચી ગઇ અને એ કે ગાયને આ વાયરસ લાગુ પડ્યો નહીં. પોતાની માનતા પૂરી કરવા મહાદેવભાઇ 450 કિલોમીટર જેટલું અંતર કાપીને પોતાની ગાયો સાથે દ્વારકા પહોંચ્યા. જ્યારે પ્રશાસનને આ વાતની ખબર પડી ત્યારે પ્રશાસને મધ્યરાત્રિએ ઠાકોરજી ને જગાડ્યા. તેમજ ગાયો સહિત ગોવાળ મહિપત ભાઈ એ શ્રીકૃષ્ણના દર્શન કર્યા.
ભગવાન શ્રીકૃષ્ણ પરમ ગોવાળિયા છે. ગાયો તેમને પ્રિય છે. ગાય માટે તેઓ કાળીયા નાગ સાથે પણ લડી છૂટયા હતા. હવે ગાયો જ્યારે દર્શન માટે આવે ત્યારે કાનુડો આરામ શી રીતે કરી શકે? આવું જ દ્રશ્ય દ્વારકા ખાતે દેખાયું.

આ સમાચાર પણ વાંચો: The Kashmir files : ‘તમને શરમ આવવી જોઈએ’: IFFI જ્યુરીના વડાએ કાશ્મીર ફાઇલની ટીકા કર્યા પછી ઇઝરાયેલના રાજદૂતનો જવાબ.

Venus Transit 2026: શુક્રનો નક્ષત્ર પલટો: કાલથી આ 4 રાશિવાળાઓના ઘરે પધારશે લક્ષ્મીજી! જાણો કઈ રાશિની કિસ્મત ચમકશે.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Lunar Eclipse on Holi 2026: હોળી પર ચંદ્રગ્રહણ: ૧૨૨ વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો ૨૦૨૬માં હોલિકા દહન અને ધુળેટીની સાચી તારીખ.
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version