Jupiter Asta 2025: 12 જૂનથી ગુરુ થશે અસ્ત, શુભ કાર્યો પર લાગશે બ્રેક, આ 3 રાશિઓ નો થશે ભાગ્યોદય

Jupiter Asta 2025: 12 જૂનથી 9 જુલાઈ સુધી ગુરુ અસ્ત રહેશે, આ સમયગાળો ત્રણ રાશિઓ માટે લાવશે સફળતા અને સમૃદ્ધિ

by Zalak Parikh
Jupiter to Set on June 12: Auspicious Events to Pause, But Luck Will Shine for These 3 Zodiac Signs

News Continuous Bureau | Mumbai

Jupiter Asta 2025: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ 12 જૂન 2025 ના રોજ સાંજે અસ્ત થવાના છે. તેઓ લગભગ 27 દિવસ સુધી અસ્ત અવસ્થામાં રહેશે અને 9 જુલાઈ 2025ના રોજ પુનઃ ઉદય થશે. ગુરુના અસ્ત થવાથી તમામ શુભ-માંગલિક  કાર્યો પર તાત્કાલિક અસર પડશે અને તે રોકાઈ જશે. કારણ કે ગુરુ અને શુક્ર  બંનેના ઉદિત હોવું આવશ્યક ગણાય છે. જોકે, આ સમયગાળો ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે.

ગુરુના અસ્ત થવાથી શું થશે અસર?

જ્યારે ગુરુ અસ્ત થાય છે ત્યારે તે સમયગાળામાં લગ્ન, ગૃહપ્રવેશ, નવો વ્યવસાય શરૂ કરવો જેવા શુભ કાર્યો પર પ્રતિબંધ રહે છે. આ સમયગાળામાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. ગુરુના અસ્ત થવાથી યશ, વૈવાહિક સુખ અને ભાગ્ય પર અસર પડી શકે છે. 9 જુલાઈ 2025ના રોજ ગુરુ  ઉદય થશે અને ત્યારબાદ ફરીથી તમામ શુભ-માંગલિક કાર્યો શરૂ થઈ શકશે. 

આ સમાચાર પણ વાંચો : Budh Shukra Yog 2025: 12 જૂનના રોજ બુધ અને શુક્ર 60 ડિગ્રીના અંતરે આવી જશે, જેના કારણે 5 રાશિઓને મળશે વિશેષ લાભ

આ ત્રણ રાશિઓ માટે શુભ સમય

જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો માટે ગુરુનો અસ્ત થવો લાભદાયી સાબિત થશે. આ રાશિના લોકોના જીવનમાં નોકરીમાં પ્રમોશન, નવો વ્યવસાય શરૂ થવો, અને ધનપ્રાપ્તિ જેવી ઘટનાઓ બની શકે છે. ખાસ કરીને કરિયર અને ધનલાભના દ્રષ્ટિકોણે આ સમયગાળો શુભ રહેશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More