News Continuous Bureau | Mumbai
26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. 26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. આ તહેવાર મુખ્યત્વે મહિલા વર્ગમાં વિશેષ આકર્ષણ ધરાવે છે. બે વર્ષ પછી ફરી એકવાર આ વર્ષે આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી 9 રંગોના કપડાં પહેરવામાં આવે છે. તેથી નવ દિવસ સુધી દરરોજ ઓફિસ જતી વખતે, ગરબા રમતી વખતે લોકો આ રંગને ખૂબ જ ઉત્સાહથી ફોલો કરે છે.
નવરાત્રી 2022 ના નવરંગો નીચે મુજબ છે…
26 સપ્ટેમ્બર પ્રથમ – પહેલો દિવસ – સફેદ
27 સપ્ટેમ્બર દ્વિતીય – બીજો દિવસ – લાલ
28 સપ્ટેમ્બર તૃતીયા – ત્રીજો દિવસ – રોયલ બ્લુ
29 સપ્ટેમ્બર ચતુર્થી – ચોથો દિવસ – પીળો
30 સપ્ટેમ્બર પંચમી – પાંચમો દિવસ – લીલો
1 ઓક્ટોબર ષષ્ઠી – છઠ્ઠો દિવસ – ગ્રે
2 ઓક્ટોબર સપ્તમી – સાતમો દિવસ – નારંગી
3 ઓક્ટોબર અષ્ટમી – આઠમો દિવસ – પીકોક ગ્રીન
4 ઑક્ટોબર નોમ – નવમો દિવસ – ગુલાબી
આ સમાચાર પણ વાંચો : શનિ ગ્રહ આપણ ને કેવી રીતે અને ક્યારે કરે છે અસર – જાણો તેનાથી બચવાના ઉપાયો વિશે