Site icon

આજે નવલી નવરાત્રિનું ત્રીજુ નોરતુ, આજના દિવસે કરો માં ચંદ્રઘંટાની પૂજા, જાણો મંત્ર અને પૂજાનું મહત્વ

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર 2021
શનિવાર.
આસો નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુગટ છે જેના પર  અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે. પોતાના આ અદભૂત મુગટના કારણે દેવી ચંદ્રઘંટાના નામે ઓળખાય છે. માં ચંદ્રઘંટાનું વાહન સિંહ છે. તેમની દસ ભુજાઓ છે. માતાજીના હાથમાં કમળનું ફૂલ, ધનુષ, જપ માળા અને તીર છે. બાકીના હાથોમાં ત્રિશૂળ, ગદા, કમંડળ અને તલવાર છે. માતાજીનો પાંચમો હાથ અભય મુદ્રામાં રહે છે. દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. 
માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ. પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે. માતાની ઉપાસનાથી ભક્તોને ભૌતિક, આત્મિક, આધ્યાત્મિક સુખ શાંતિ મળે છે અને ઘર પરિવારથી નકારાત્મક ઉર્જા એટલે કે કલેશ અને અશાંતિ દૂર થાય છે. 

માતા ચંદ્રઘંટાની પૂજાનો મંત્રઃ

Join Our WhatsApp Community

"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः। 
शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"

પિણ્ડજપ્રવરારૂઢા ચણ્ડકોપાસ્તકેર્યુતા ।
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘણ્ટેતિ વિશ્રુતા ॥

 

Mahalakshmi Rajyog 2026: મકર સંક્રાંતિ બાદ સર્જાશે શક્તિશાળી ‘મહાલક્ષ્મી રાજયોગ’, આ 3 રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ જાન્યુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Exit mobile version