Site icon News Continuous Bureau | Mumbai

Vastu Tips : મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

Vastu Tips : હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દે છે. એટલા માટે મંગળવાર અને શનિવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનથી પૂજા કરે છે

peepal leave upay for tuesday

peepal leave upay for tuesday

News Continuous Bureau | Mumbai

Vastu Tips : હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દે છે. એટલા માટે મંગળવાર અને શનિવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનથી પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીની પૂજા સાંજે કરવામાં આવે છે અને તેમના મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. મંગળવારે તેમની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે પીપળાના પાનનો ખાસ ઉપાય અપનાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતા તમામ દુ:ખ દૂર થઈ શકે છે. આવો જાણીએ પીપળાના પાનનો મંગળવારના દિવસે કરાતો ઉપાય

Join Our WhatsApp Channel

Vastu Tips : આ ઉપાયથી જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના 11 પાન તોડવા. આ પછી, આ પાંદડાઓને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. ધ્યાન રાખો કે કોઈ પણ પાન તૂટવું કે કપાવું ન જોઈએ. આ પછી આ પાંદડા પર કુમકુમ અથવા ચંદનથી શ્રીરામ લખીને માળા બનાવો. ત્યારબાદ સાંજે હનુમાનજીને આ માળા ચઢાવો. આમ કરવાથી જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

Vastu Tips :  આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

આ સિવાય પીપળાના પાન લઈને તેને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આ પછી પીપળાના પાન પર હળદર લગાવો અને મંગળવારે ઘરના મંદિરમાં મા લક્ષ્મીના ચિત્રની સામે રાખો. પછી આ પાનને આગામી મંગળવાર સુધી એટલે કે 7 દિવસ સુધી મા લક્ષ્મીના ચરણોમાં રાખો. 7 દિવસ પછી મંગળવારે આ પાન ઉપાડીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

આ સમાચાર પણ વાંચો : પુલ ધરાશાયી થવાના મામલે મોટી કાર્યવાહી, કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ, બાંધકામ એજન્સીને કારણ બતાવો નોટિસ

Vastu Tips :  આ ઉપાય સફળતા અપાવી શકે છે

જો તમે નોકરી શોધી રહ્યા છો તો મંગળવારે પીપળાના 11 પાન લાવો અને તેના પર ચંદનથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાંદડા હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. આ પછી જ્યારે તમે ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાના ઝાડને જળ ચઢાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે તમને સફળતા અપાવી શકે છે.

Today’s Horoscope : આજનો દિવસ: ૨૨ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vyatipat Yog Astrology Impact આ રાશિના જાતકો પર મંડરાયુ સંકટ! સૂર્ય અને ચંદ્રના વ્યતિપાત યોગથી સર્જાશે મુશ્કેલીઓ, જાણી લો રાશિભવિષ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Shani Nakshatra Parivartan 2026 શનિનું મહાનક્ષત્ર પરિવર્તન આ જાતકોને ઢૈય્યા અને સાડાસાતીના કષ્ટોમાંથી મળશે મોટી રાહત
Exit mobile version