Site icon News Continuous Bureau | Mumbai

પુષ્ય નક્ષત્ર ના દિવસે ખરીદી કરવી માનવામાં આવે છે શુભ-આ સાથે જ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું પણ છે વિશેષ મહત્વ-જાણો આજે કઈ વસ્તુનું દાન કરવાથી મળશે શુભ ફળ

News Continuous Bureau | Mumbai

આજે પુષ્ય નક્ષત્ર છે. સામાન્ય રીતે આ દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તે પૂજા અને દાન માટે પણ ખૂબ જ શુભ છે. આ દિવસે કરવામાં આવેલ ધાર્મિક કાર્યો ખુબ પુણ્ય આપે છે અને ભક્તોની પૂજા જલ્દી સફળ થાય છે. એક જ્યોતિષ આચાર્ય ના જણાવ્યા અનુસાર, પુષ્ય નક્ષત્રમાં ઘર માટે જરૂરી વસ્તુઓ જેમ કે સોના-ચાંદીના ઘરેણાં, વાહન, કપડાં, સ્થાવર મિલકત વગેરે ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ પરિવાર માટે શુભ હોય છે અને લાંબા સમય સુધી બગડતી નથી. આ દિવસે ખરીદીની સાથે કેટલીક ખાસ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ. જાણો પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં કઈ વસ્તુઓનું દાન કરી શકાય છે…

Join Our WhatsApp Channel

1. પરણિતા ને સુહાગનો સામાન દાન કરો

તમે લાલ સાડી, લાલ બંગડીઓ, કુમકુમ, બિંદી, જ્વેલરી વગેરે જેવી વસ્તુઓ જરૂરિયાતમંદ પરિણીત મહિલા ને દાન કરી શકો છો.

2. મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો

કંકુ, ચોખા, હળદર, ઘી, તેલ, ધૂપ, હાર, ફૂલ, ડ્રાયફ્રૂટ્સ, અબીલ, ગુલાલ વગેરે જેવી પૂજા સામગ્રી મંદિરમાં દાન કરી શકાય છે. આ બધી વસ્તુઓ રોજની પૂજામાં ઉપયોગી થવી જોઈએ.

3. નદીમાં સ્નાન કરો અને પછી કિનારે દાન કરો

પુષ્ય નક્ષત્રના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. નદીમાં સ્નાન કર્યા પછી, તમારી ક્ષમતા અનુસાર તે જ બાજુના જરૂરિયાતમંદ લોકોને પૈસા, અનાજ, કપડાં, ચંપલ નું દાન કરો.

આ સમાચાર પણ વાંચો : 17 જાન્યુઆરી 2023થી શનિની સાડાસાતની અસર આ રાશિઓ પર ખતમ થશે- શનિદેવ લાવશે સારા દિવસો

4. નાના બાળકોને શિક્ષણની વસ્તુઓનું દાન કરો

તમારા ઘરની આસપાસના જરૂરિયાતમંદ બાળકોને નોટબુક, પેન, પેન્સિલ, બેગ, ડ્રેસ વગેરે જેવી વસ્તુઓનું દાન કરો.

5. ગૌશાળામાં આ વસ્તુઓનું દાન કરો

ગૌશાળામાં ગાયોની સંભાળ રાખો. ગાય માટે પૈસા દાન કરો અને લીલું ઘાસ ખવડાવો. જો શક્ય હોય તો, ગૌશાળામાં ગાયનું દાન કરો.

Mars Transit In Cancer મંગળનું કર્ક રાશિમાં નીચ ગોચર કોને થશે બમ્પર ફાયદો અને કોણે રહેવું પડશે સાવધાન? જાણો રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version