News Continuous Bureau | Mumbai
Surya Grahan 12 August 2026 Grahan Yog Impact વર્ષ ૨૦૨૬ નું બીજું અને પૂર્ણ સૂર્યગ્રહણ ૧૨ ઓગસ્ટે શ્રાવણ અમાસના પવિત્ર દિવસે થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે સૂર્ય, ચંદ્ર અને રાહુના સંયોગથી એક અત્યંત અશુભ અને ખતરનાક ‘ગ્રહણ યોગ’ નું નિર્માણ થઈ રહ્યું છે, જે કેટલીક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
Surya Grahan Impact – અશ્લેષા નક્ષત્ર અને કર્ક રાશિમાં સર્જાશે ગ્રહણ યોગ
જ્યોતિષીય ગણતરી મુજબ, આ સૂર્યગ્રહણ કર્ક રાશિ અને અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ગ્રહણ યોગની અશુભ અસરને કારણે લોકોમાં માનસિક અસ્થિરતા, ભ્રમ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં અડચણો આવી શકે છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દ્રશ્યમાન થવાનું નથી, છતાં જ્યોતિષીય દ્રષ્ટિએ ગ્રહોની આ સ્થિતિ વિવિધ રાશિઓના જીવન પર ઊંડી અસર છોડશે.
Surya Grahan Impact – કન્યા, કર્ક અને સિંહ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
આ ગ્રહણ યોગ દરમિયાન ૩ રાશિના જાતકોએ વિશેષ સાવચેતી રાખવી પડશે. કન્યા રાશિના લોકો માટે કામકાજમાં રુકાવટ અને આર્થિક નુકસાનના યોગ છે. કર્ક રાશિના જાતકોના પારિવારિક તેમજ દાંપત્ય જીવનમાં વિવાદ વધી શકે છે. જ્યારે સિંહ રાશિના જાતકોને નોકરી-ધંધામાં ગેરસમજ અને ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે અણબનાવની ભીતિ રહે રહેલી છે.
Surya Grahan Impact – ગ્રહણની અશુભ અસરથી બચવાના સરળ ઉપાયો
અશુભ યોગના નકારાત્મક પ્રભાવથી બચવા માટે જ્યોતિષીઓએ કેટલીક ખાસ સાવચેતીઓ અને ઉપાયો સૂચવ્યા છે. આ સમયગાળા દરમિયાન આર્થિક લેવડ-દેવડ કે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા પૂરતી તપાસ કરવી જરૂરી છે. ગ્રહણના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવી, મંત્રોનો જાપ કરવો અને જરૂરિયાતમંદોને દાન-પુણ્ય કરવાથી ગ્રહણ યોગની અશુભ અસર ઓછી થાય છે.
👉 આ સમાચાર વાચો:
Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
