Site icon

તમારા ઘરમાં પણ છે આ તસવીર? તો જલદી બહાર કાઢો, નહિં તો આવી શકે છે મોટી મુશ્કેલી

વાસ્તુ અનુસાર ક્યારે પણ તમારે આ તસવીર તમારા ઘરમાં લગાવવી જોઇએ નહિં. આ તસવીર તમારા પરિવારને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.

quickly remove these pictures from your home or you'll face problems

quickly remove these pictures from your home or you'll face problems

News Continuous Bureau | Mumbai

વાસ્તુ અનુસાર માનીએ તો ઘરમાં રાખેલી દરેક વસ્તુ પરિવાર પર પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ કરે છે. પછી એ ફર્નિચર હોય કે દિવાલ પર લાગેલી ઘડિયાળ હોય. તો આજે અમે કેટલીક એવી તસવીર વિશે વાત કરીશું જે તમારા ઘરમાં લાગેલી હોય છે તો એનાથી નેગેટિવ એનર્જી આવે છે. આ સાથે આ તસવીર તમારા ઘરમાં અનેક મુશ્કેલીઓ ઉભી કરે છે અને આર્થિક તંગી પણ લાવી શકે છે. આમ, જો તમે વાસ્તુ શાસ્ત્રમાં માનો છો તો આજે જ આ વસ્તુઓને ઘરમાંથી બહાર કરી દો.

Join Our WhatsApp Community

ડૂબતા સૂરજની તસવીર

ઘરમાં ક્યારે પણ ડૂબતા સૂરજની તસવીર લગાવવી જોઇએ નહિં, કારણકે આ તસવીર તમારા ઘરમાં નેગેટિવિટી લાવે છે અને તમે અનેક આર્થિક રીતે દુખી થાવો છો.

નટરાજની મૂર્તિ અથવા ફોટો

નટરાજ ભગવાન શિવના અવતાર છે, પરંતુ ક્યારે પણ આ તસવીર ઘરમાં લગાવવી જોઇએ નહિં. ભગવાન શિવ જ્યારે ગુસ્સે થતા હતા ત્યારે તેઓ નટરાજરૂપ ધારણ કરતા હતા. એવામાં આ મૂર્તિ ક્રોધિત દર્શાવે છે. આ મૂર્તિ ઘરમાં રાખવાથી શાંતિનો ભંગ થાય છે અને નાણાંકીય તકલીફ પડે છે.

આ સમાચાર પણ વાંચો :  Vastu Tips: ઘરમાં કાચનો વાસ્તુ સાથે ખાસ સંબંધ છે, તેને અહીં લગાવવાથી થશે ફાયદો

યુદ્ધની તસવીર

ઘરમાં ક્યારે પણ યુદ્ધની તસવીર લગાવવી જોઇએ નહિં. આ તસવીર તમને ક્રોધિત કરવાનું કામ કરે છે. આ તસવીર લગાવવાથી ઘરમાં નકારાત્મક અસર થાય છે જેના કારણે પરિવારમાં લડાઇ થઇ શકે છે. ખાસ કરીને બેડરૂમમાં આ તસવીર ક્યારે પણ લગાવી જોઇએ નહિં.

તૂટેલું ફર્નિચર

તમારા ઘરમાં તૂટેલું ફર્નિચર હોય તો આજે જ એને કાઢી દો. ઘરમાં ક્યારે પણ તૂટેલું ફર્નિચર રાખવું જોઇએ નહિં. તૂટેલું ફર્નિચર ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે. આ સાથે જ તમારે અનેક આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તૂટેલા ફર્નિચર સાથે તમારા ઘરમાં કોઇ કાચ તૂટેલો હોય તો એને પણ ફેંકી દેજો. ક્યારે પણ ઘરમાં તૂટેલો કાચ પણ રાખવો જોઇએ નહિં.

આ સમાચાર પણ વાંચો : મની પ્લાન્ટ નહિં, પરંતુ ઘરના મુખ્ય દ્રાર પર લગાવો આ પ્લાન્ટ, ક્યારે નહિં પડે પૈસાની તકલીફ

Note:- અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી..
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version