Rahu Dosha: શું ક્યાંક તમારા ઘરમાં પણ તો નથી રાહુ દોષ? જાણો રાહુને શાંત કરવાના અચૂક ઉપાય

Rahu Dosha: રાહુ દોષના લક્ષણો અને ઘરેલુ ઉપાયોથી રાહુના અસરોને કરી શકાય છે નિયંત્રિત

by Zalak Parikh
Rahu Dosha: Is Rahu Affecting Your Home? Know the Signs and Remedies to Balance It

News Continuous Bureau | Mumbai

Rahu Dosha: નવગ્રહોમાં રાહુ એક છાયાગ્રહ છે, જે ભ્રમ, ડર, મોહ અને ભૌતિક સુખ-સંપત્તિ સાથે જોડાયેલો છે. શાસ્ત્રો અનુસાર રાહુ દોષ વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ, વધુ વિચાર, અને ભ્રમ પેદા કરે છે. જો રાહુ અસંતુલિત હોય તો દરેક નિર્ણયમાં અફસોસ રહે છે. આજે આપણે જાણશું કે રાહુ દોષના લક્ષણો શું છે અને તેને શાંત કરવા માટે કયા ઉપાયો અસરકારક છે.

રાહુ ઘરમાં કઈ રીતે પ્રવેશ કરે છે?

ઘરમાં રાહુના પ્રવેશના રૂપો નીચે મુજબ હોઈ શકે છે:

  • મોબાઈલ ફોન (Mobile Phone)
  • સોશિયલ મીડિયા (Social Media) ની લત
  • VR, કેમેરા, હેડફોન જેવા ગેજેટ્સ (Gadgets)
  • બ્યુટી પ્રોડક્ટ્સ અને ક્લીનિંગ એજન્ટ્સ (Chemicals)
  • દવાઓ (Medicines)
  • આર્ટિફિશિયલ સુગંધ

રાહુ દોષના લક્ષણો

  • વધુ વિચાર કરવાની આદત (Overthinking)
  • સોશિયલ મીડિયા દ્વારા ધ્યાન ભટકાવવું
  • ભય અને ખોટા વચનો
  • વારંવાર દવા બદલવી પડે તેવી બીમારી
  • વધુ કલ્પનાના કારણે સંબંધ તૂટી જવો
  • દરેક બાબતમાં યોગ્ય નિર્ણય ન લઈ શકવો

આ સમાચાર પણ વાંચો :  Kashi Vishwanath temple owl: કાશી વિશ્વનાથના શિખર પર દેખાયો સફેદ ઘુવડ, શું છે આ દુર્લભ સંકેત?

રાહુને શાંત કરવાના ઉપાય

  • દર શનિવારે નારિયળનું દાન કરો
  • ઘરના પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ ભાગમાં માટીનો દીવો પ્રગટાવો
  • દરરોજ રાત્રે સ્ક્રીન ટાઈમ (Screen Time) નિયંત્રિત કરો
  • દર અઠવાડિયે બે દિવસ ઘરમાં ગૌમૂત્રથી પોતું કરો
  • “ૐ રામ રાહવે નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More