રામ ભક્તો માટે ખુશખબર :  રેલ્વે શ્રીરામ સાથે સંકળાયેલ તમામ સ્થળોની ટુર કરાવશે, ટ્રેનની ઉપડવાની તારીખ અને ભાડુ જાણવા માટે અહીં વાંચો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

30 ઓક્ટોબર 2020 

છેલ્લા 7-8 મહિનાથી કોરોનાને કારણે ઘટમાં બંધ રહી કંટાળી ગયા છો. તો ભારતીય રેલ એ તમારા માટે ધાર્મિક ટુરનું આયોજન કર્યું છે. આમ પ્રવાસ વિભાગને પણ વેગ મળશે.. 

આઇઆરસીટીસી પ્રભુ શ્રીરામના ભક્તો માટે એક વિશેષ ટ્રેન ચલાવી રહી છે. આ ટ્રેન દ્વારા ભક્તો ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા અને ચિત્રકૂટની સફર કરી શકશે. આઈઆરસીટીસી સંચાલિત ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન 12 ડિસેમ્બરે દહેરાદૂનથી ઉપડશે. આઈઆરસીટીસીએ આ પેકેજનું નામ "શ્રી રામપથ અયોધ્યાથી ચિત્રકૂટ યાત્રા" રાખ્યું છે. જેના માટે તમે આઈઆરસીટીસી વેબસાઇટ પર બુક કરાવી શકો છો. આ સિવાય મુસાફરો આઇઆરસીટીસી ટૂરિસ્ટ ફેસીલિટેશન સેન્ટરની ઝોનલ અને પ્રાદેશિક કચેરીઓથી પણ ટિકિટ બુક કરાવી શકશે. આ ટ્રેનમાં તમામ કોચ સ્લીપર ક્લાસના હશે.  

@ મુસાફરો આ સ્ટેશનો પર ચઠી અથવા ઉતરી શકે છે- 

આ ટ્રેન ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનથી 12 ડિસેમ્બરે સવારે 6 કલાકે ઉપડશે. ભારત દર્શન વિશેષ ટૂરિસ્ટ ટ્રેન અયોધ્યા, પ્રયાગ અને ચિત્રકૂટ જેવા પવિત્ર સ્થળોની મુલાકાત લેશે. દહેરાદૂન ઉપરાંત હરિદ્વાર, મેરઠ, ગાઝિયાબાદ, અલીગ,, હાથરસ, ટુંડલા અને ઇટાવા બોર્ડિંગ અને ડિબગિંગ પોઇન્ટ પણ હશે. આ પેકેજમાં  સવારના ફકટ શાકાહારી નાસ્તા ઉપરાંત લંચ અને ડિનર પણ શાકાહારી જ પીરસવામાં આવશે. 

@ ટ્રાવેલ પેકેજમાં કઈ સુવિધાઓ આપવામાં આવશે- 

આઈઆરસીટીસીએ 5 રાત અને 6 દિવસ માટે ટ્રાવેલ પેકેજ તૈયાર કર્યું છે.  જેનું  ભાડું યાત્રાળુ દીઠ 5670 રૂપિયા રહેશે. મુસાફરોને નોન એસી શયનગૃહ અથવા ધર્મશાળાના હોલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રેલવે સ્ટેશનથી પર્યટક સ્થળો સુધી આરામદાયક મુસાફરી માટે નોન એસી બસોની સુવિધા આપવામાં આવશે. સુરક્ષા માટે ટ્રેનોમાં ટૂર એસ્કોર્ટ અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવશે..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More