News Continuous Bureau | Mumbai
Sharad Purnima 2025: શરદ પૂર્ણિમા આશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવાશે. હિંદુ ધર્મમાં આ તિથિને ખૂબ જ પાવન અને શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા અને દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
શરદ પૂર્ણિમાની તિથી અને મુહૂર્ત
દ્રિક પંચાંગ અનુસાર, શરદ પૂર્ણિમાની તિથી 6 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબર સવારે 09:16 વાગ્યે પૂર્ણ થશે. તેથી શરદ પૂર્ણિમાનું વ્રત અને પૂજા 6 ઓક્ટોબર, સોમવારના રોજ કરવી શ્રેષ્ઠ રહેશે.
શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ
શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પોતાની સોળ કલાઓથી ભરપૂર હોય છે અને અમૃતની વર્ષા કરે છે. માન્યતા છે કે આ રાત્રે ચાંદનીમાં રાખેલા દૂધથી બનેલા પૌઆમાં ઔષધીય ગુણો પ્રવેશ કરે છે. આ પૌઆ નો દિવસે પ્રસાદ રૂપે સેવન કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે અને શક્તિ મળે છે.
આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ
આર્થિક તંગી દૂર કરવા અને ધન વૃદ્ધિ માટે ઉપાય
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી શ્રીહરી અને માતા લક્ષ્મીની પૂજા કરો. માતાને કમળનું ફૂલ અને એકાક્ષી નારિયેલ અર્પણ કરો.ધન વૃદ્ધિ માટે શરદ પૂર્ણિમાની રાત્રે 11 પીળી કોડીઓ પીળા કપડામાં બાંધીને માતા લક્ષ્મી સમક્ષ રાખો અને બીજા દિવસે તેને તિજોરીમાં મૂકી દો. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં ધનની કમી રહેતી નથી.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)