Site icon

શારદીય નવરાત્રી 2022- નવરાત્રી પહેલા ઘરના મંદિરને આ રીતે સાફ કરો- મા દુર્ગા કરશે દરેક ઈચ્છા પૂર્ણ 

News Continuous Bureau | Mumbai

શારદીય નવરાત્રી(Shardiya Navratri) થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આ 9 દિવસોમાં લોકો દેવી દુર્ગાની (Goddess Durga) પૂજા કરે છે. નવરાત્રિ પહેલા ઘરના મંદિરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ફક્ત સ્વચ્છ મંદિરમાં (clean temple) જ વાસ કરે છે. મોટાભાગના ઘરોમાં લાકડાના મંદિરો(Wooden temples) છે, જેની સફાઈ કરવી એ એક મોટું કામ છે. પરંતુ આજે અમે તમને લાકડાના મંદિરને સાફ કરવાના કેટલાક ઘરેલું નુસખા જણાવવા જઈ રહ્યા છીએ. આ ટિપ્સ ફોલો કરીને તમે મંદિરને સંપૂર્ણપણે સાફ કરી શકશો.

Join Our WhatsApp Community

પૂજા કરતી વખતે ઘણીવાર મંદિરમાં ગુલાલ અથવા ચંદનના ડાઘા પડે છે. જો તેને સાફ ન કરવામાં આવે તો આ ડાઘા સરળતાથી ઉતરતા નથી. તમે તેને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે 2 કપ પાણીમાં 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરીને સોલ્યુશન તૈયાર કરો. આ સોલ્યુશનને ડાઘવાળી જગ્યા પર લગાવો અને તેને આમ જ રહેવા દો. લગભગ 5-10 મિનિટ પછી, તેને ક્લિનિંગ બ્રશ અથવા કોટનથી ઘસીને સાફ કરો. 

વિનેગરનો પણ ઉપયોગ કરી શકાય છે(vinegar)

લોકો મંદિરમાં ઘી કે તેલનો દીવો પ્રગટાવે છે. આવી સ્થિતિમાં મંદિર પર ઘણી વખત તેલના મુલાયમ ડાઘા પડે છે. આ સિવાય મંદિર પર ધૂપના ઘાટા ડાઘ પણ લાગે છે. તેમને સાફ કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરો અને તેમાં 2 ચમચી વિનેગર મિક્સ કરો. હવે આ સોલ્યુશનને ડાઘ પર સ્પ્રે કરો. આ પછી, તેને કોટન અથવા સુતરાઉ કપડાથી ઘસીને ડાઘને સાફ કરો.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- ભૂલ માં પણ ઘરની બહાર આ વસ્તુઓને ના રાખશો-બનશે ગરીબીનું કારણ

ખાવાનો સોડા(baking soda) અને લીંબુનો રસ(Lemon juice) અસરકારક છે

મંદિરને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક બાઉલમાં 1 ચમચી ખાવાનો સોડા લો અને તેમાં 1 લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિક્સરને ડાઘવાળી જગ્યાઓ પર લગાવો. આ પછી સુતરાઉ કાપડ અથવા કોટન વડે ઘસો. મંદિર પરના ડાઘા થોડીવારમાં સાફ થઈ જશે.

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version