Site icon News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ

Shardiya Navratri 2025: 22 સપ્ટેમ્બર થી શરૂ થતી નવરાત્રી પહેલા માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘરમાં લાવો શુભ ચીજવસ્તુઓ

Shardiya Navratri 2025: Buy These Auspicious Items Before Navratri Begins for Prosperity at Home

Shardiya Navratri 2025: Buy These Auspicious Items Before Navratri Begins for Prosperity at Home

News Continuous Bureau | Mumbai

શારદીય નવરાત્રી 2025 હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહી છે. આ વર્ષે નવરાત્રી 22 ઓક્ટોબર થી શરૂ થઈ 2 ઓક્ટોબર સુધી ચાલશે. હિંદુ ધર્મમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ અવસરે માતા દુર્ગાની કૃપા મેળવવા માટે ઘરમાં કેટલીક પવિત્ર વસ્તુઓ લાવવી શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવે છે.

Join Our WhatsApp Channel

નવરાત્રી પહેલા ઘરમાં લાવવી જોઈએ આ પવિત્ર વસ્તુઓ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી પહેલા નવગ્રહ યંત્ર ખરીદવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આ યંત્રની પૂજા દ્વારા કુંડળીમાં નબળા ગ્રહો મજબૂત બને છે અને દોષો દૂર થાય છે. સાથે સાથે મહાલક્ષ્મી યંત્ર પણ લાવવું શુભ માનવામાં આવે છે. આ યંત્ર ઘરમાં ધન અને વૈભવ લાવે છે.

માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે લાવો શંખ અને શ્રૃંગાર સામગ્રી

માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રી પહેલા ઘરમાં શંખ લાવવો જોઈએ. શંખ ઘરમાં પવિત્રતા અને શાંતિ લાવે છે. માતાના શ્રૃંગાર માટે કુલ 16 વસ્તુઓ લાવવી જોઈએ જેમ કે ચંદન, કુંકુ, ફૂલ, વસ્ત્ર, દૂધ, ઘી વગેરે. આ વસ્તુઓથી માતાની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

આ સમાચાર પણ વાંચો : Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ

ઘરની સફાઈ અને નકારાત્મકતા દૂર કરવી જરૂરી

નવરાત્રી શરૂ થવા પહેલા ઘરની સંપૂર્ણ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરમાં રહેલી જૂની અને તૂટી ગયેલી વસ્તુઓ દૂર કરવી જોઈએ. ઘરમાં સ્વસ્તિક ચિહ્ન અથવા તેની તસવીર પણ લાવીને યોગ્ય સ્થાન પર રાખવી જોઈએ. આથી ઘરમાં પોઝિટિવ એનર્જી પ્રવાહિત થાય છે અને માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Saraswati Yog નસીબ ચમકાવશે ‘સરસ્વતી યોગ’ આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ratnashastra 3 Gemstones Ruby Gomed Sapphire ચમકશે કિસ્મતનો સિતારો! જીવનના તમામ કષ્ટો દૂર કરશે આ ૩ પાવરફુલ રત્નો; જાણો કોણે ક્યારે પહેરવું?
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version