Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી માં રાશિ પ્રમાણે પહેરો યોગ્ય રંગના કપડા, માતા દુર્ગા થશે પ્રસન્ન

Shardiya Navratri 2025: નવરાત્રિમાં રાશિ અનુસાર રંગ પસંદ કરવાથી મળે છે શુભ ફળ, માતાજીનો આશીર્વાદ અને જીવનમાં સફળતા

by Zalak Parikh
Shardiya Navratri 2025: Choose Clothes by Zodiac Sign to Please Maa Durga

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી 2025 આ વખતે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રી 9 નહીં પણ 10 દિવસની રહેશે. હિંદુ ધર્મ અનુસાર, નવરાત્રીના દિવસોમાં માતા દુર્ગાની ભક્તિથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. જો તમે તમારી રાશિ  અનુસાર યોગ્ય રંગના કપડા પહેરો તો માતાજી વધુ પ્રસન્ન થાય છે અને જીવનમાં શુભતા લાવે છે.

રાશિ અનુસાર શુભ રંગ

  • મેષ (Aries): લાલ અથવા પીળો 
  • વૃષભ (Taurus): ગુલાબી અથવા સફેદ 
  • મિથુન (Gemini): લીલો 
  • કર્ક (Cancer): સફેદ  અથવા લાઇટ કલર્સ
  • સિંહ (Leo): પીળો 
  • કન્યા (Virgo): લીલો
  • તુલા (Libra): સફેદ અને લાઇટ કલર્સ
  • વૃશ્ચિક (Scorpio): લાલ અને કેસરિયા 
  • ધન (Sagittarius): પીળો 
  • મકર (Capricorn): વાદળી
  • કુંભ (Aquarius): કાળો અને વાદળી
  • મીન (Pisces): કેસરિયા, પીળો અને લાઇટ કલર્સ

રંગ પસંદગીથી મળે છે વિશેષ લાભ

રાશિ અનુસાર રંગ પસંદ કરવાથી માત્ર માતાજી પ્રસન્ન થાય છે એટલું જ નહીં, પણ જીવનમાં સકારાત્મક ઉર્જા, સફળતા, અને શાંતિ પણ મળે છે. દરેક દિવસ માટે અલગ રંગ પસંદ કરીને ભક્તિભાવથી પૂજા કરવી વધુ લાભદાયી રહે છે.

આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાને અર્પણ કરો આ ફૂલો, મળશે વિશેષ આશીર્વાદ

નવરાત્રિમાં કપડાં પહેરતી વખતે ધ્યાનમાં રાખો

  • કપડાં સ્વચ્છ અને તાજા હોવા જોઈએ
  • રંગ પસંદ કરતી વખતે તમારી રાશિ નું ધ્યાન રાખો
  • પૂજાના સમયે પરંપરાગત અને શિષ્ટ વસ્ત્રો પહેરો
  • દરેક દિવસ માટે અલગ રંગ પસંદ કરો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Join Our WhatsApp Community

You may also like