Site icon News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શરૂ થશે શારદીય નવરાત્રી, જાણો ઘટ સ્થાપના નું શુભ મુહૂર્ત અને તેનું મહત્વ

Shardiya Navratri 2025: આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી શરૂ થવાની છે. તો ચાલો જાણીયે આ નવરાત્રી માં ઘટ સ્થાપના નું મુહૂર્ત અને તેની વિધિ

Shardiya Navratri 2025 Dates, Rituals, and Significance Revealed

Shardiya Navratri 2025 Dates, Rituals, and Significance Revealed

News Continuous Bureau | Mumbai  

Shardiya Navratri 2025: હિંદુ ધર્મમાં શારદીય નવરાત્રી  ને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ પર્વ દર વર્ષે આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા થી નવમી સુધી મનાવવામાં આવે છે. આ નવ દિવસોમાં માતા દુર્ગાના  નવ રૂપોની પૂજા કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે. 2025માં શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ 2 ઓક્ટોબરે પૂર્ણ થશે.

Join Our WhatsApp Channel

શારદીય નવરાત્રિ 2025: તિથિઓ અને શુભ મુહૂર્ત

પંચાંગ અનુસાર, આશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે 01:23 વાગ્યાથી શરૂ થઈ 23 સપ્ટેમ્બર રાત્રે 02:55 વાગ્યે પૂર્ણ થશે. ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 06:09 થી 08:06 સુધી રહેશે. અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી 12:38 સુધી રહેશે.

નવરાત્રિમાં માતા દુર્ગાની આરાધના અને મહાત્મ્ય

શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાની આરાધના દ્વારા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. માન્યતા છે કે આ નવ દિવસોમાં માતાએ મહિષાસુર સાથે યુદ્ધ કરીને નવમા દિવસે તેનું સંહાર કર્યું હતું. તેથી માતાને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે. દરરોજ આરતી, ભોગ અને પૂજા વિધિ દ્વારા માતાની કૃપા પ્રાપ્ત થાય છે.

આ સમાચાર પણ વાંચો : Dream Astrology : સ્વપ્નમાં સાપ કરડવાનો અર્થ: શુભ કે અશુભ? સ્વપ્નશાસ્ત્ર અનુસાર આ સ્વપ્ન શું સૂચવે છે… જાણો.

2025માં માતાની સવારી: શાંતિ અને સમૃદ્ધિનું સંકેત

આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઈ રહી છે. સોમવારે નવરાત્રિ શરૂ થવાથી માન્યતા છે કે માતા દુર્ગા હાથી પર સવાર થઈ પૃથ્વી પર આવે છે. હાથી માતાનું શુભ વાહન છે, જે શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. આથી આ નવરાત્રિ માં વિશેષ શુભ ફળની અપેક્ષા રાખી શકાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Saraswati Yog નસીબ ચમકાવશે ‘સરસ્વતી યોગ’ આ 4 રાશિઓ માટે ખુલશે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર.
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Ratnashastra 3 Gemstones Ruby Gomed Sapphire ચમકશે કિસ્મતનો સિતારો! જીવનના તમામ કષ્ટો દૂર કરશે આ ૩ પાવરફુલ રત્નો; જાણો કોણે ક્યારે પહેરવું?
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version