Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ

Shardiya Navratri 2025: નવરાત્રીના નવ દિવસમાં દરેક દેવીના સ્વરૂપને તેમના પ્રિય ભોગ અર્પણ કરવાથી મળે છે વિશેષ ફળ અને માતાજીની કૃપા

by Zalak Parikh
Shardiya Navratri 2025: Offer These 9 Bhogs to Maa Durga’s 9 Forms for Blessings

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025:  શારદીય નવરાત્રી  2025 આ વર્ષે 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 1 ઓક્ટોબર સુધી ચાલશે. આ પાવન દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક સ્વરૂપને અલગ-અલગ ભોગ અર્પણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, શાંતિ અને શક્તિનો આશીર્વાદ આપે છે.

નવરાત્રિના 9 દિવસ માટે ભોગ સૂચિ

  1. માતા શૈલપુત્રી : ગાયના ઘીથી બનેલી વસ્તુઓ
  2. માતા બ્રહ્મચારિણી : મિશ્રી
  3. માતા ચંદ્રઘંટા : ખીર
  4. માતા કુષ્માંડા : માલપુઆ 
  5. માતા સ્કંદમાતા : કેળા 
  6. માતા કાત્યાયની : ફળ 
  7. માતા કાલરાત્રિ : ગોળ થી બનેલી વસ્તુઓ 
  8. માતા મહાગૌરી: નારિયેળ 
  9. માતા સિદ્ધિદાત્રી : તલ અને તેની વસ્તુઓ

ભોગથી મળે છે વિશેષ ફળ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતાજીને તેમના પ્રિય ભોગ અર્પણ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દરેક સ્વરૂપના ભોગથી અલગ-અલગ લાભ મળે છે – જેમ કે આરોગ્ય, ધન, સંતાન સુખ, શાંતિ અને આધ્યાત્મિક શક્તિ.

આ સમાચાર પણ વાંચો : Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન

ભોગ અર્પણ કરતી વખતે ધ્યાનમાં રાખો

  • ભોગ તાજો અને શુદ્ધ હોવો જોઈએ
  • ભક્તિભાવથી અર્પણ કરો
  • પૂજાના સમયે ભોગ સાથે માતાજીના મંત્રોનો જાપ કરો
  • ભોગ પછી કન્યાઓને પ્રસાદ રૂપે આપો

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More