આજે છે ષટ્તિલા એકાદશી એકાદશી: આ વ્રતમાં 6 પ્રકારે તલનો ઉપયોગ થાય છે, જાણો પૂજા વિધિ અને મહત્વ..

હિંદુ પંચાંગ મુજબ, દર મહિને 2 એકાદશીના વ્રત અને વર્ષમાં 24 એકાદશીના વ્રત હોય છે. દરેક એકાદશી વ્રતનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે ઉપવાસની સાથે દાન કરવું પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. પોષ મહિનામાં આવતી એકાદશી તિથિને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે.

by Dr. Mayur Parikh
Kamika Ekadashi 2023 Date ,Puja Vidhi, muhurat and mantra

News Continuous Bureau | Mumbai

હિંદુ પંચાંગ મુજબ, દર મહિને 2 એકાદશીના વ્રત અને વર્ષમાં 24 એકાદશીના વ્રત હોય છે. દરેક એકાદશી વ્રતનું પોતાનું વિશેષ મહત્વ હોય છે અને આ દિવસે ઉપવાસની સાથે દાન કરવું પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. પોષ મહિનામાં આવતી એકાદશી તિથિને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે અને આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે. આ વર્ષે આ વ્રત આવતીકાલે એટલે કે 18 જાન્યુઆરીએ એટલે કે આજે મનાવવામાં આવશે. જો તમે શતિલા એકાદશીનું વ્રત કરો છો તો પૂજા પછી વ્રતની કથા વાંચો.

આ પાવન દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. મહાભારત અને પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ તલના તેલનું ઉબટન, તલ મિક્સ કરેલાં પાણીથી સ્નાન, તલનું ભોજન, તલથી હવન અને તર્પણ કરવાની સાથે જ તલનું દાન કરવાનું ખાસ મહત્વ છે.

માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના કષ્ટ અને પાપનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. આ એકાદશીએ પૂજા અને વ્રત કરવાથી સોનાના દાનનું ફળ મળે છે. સાથે જ, તલનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. વિદ્વાનો પ્રમાણે તલનું દાન કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય મળે છે.

આ સમાચાર પણ વાંચો:  મીઠાની આ યુક્તિથી ગરીબ પણ રાજા બની જશે, ભલે ગમે તેટલા ઉડાવે પૈસા તો પણ ખતમ નહીં થાય!

ષટ્તિલા એકાદશી વ્રત 2023 તિથિ અને શુભ સમય

હિન્દુ પંચાંગ અનુસાર, એકાદશી તિથિ 17 જાન્યુઆરીએ સાંજે 6:05 વાગ્યે શરૂ થશે, જે 18 જાન્યુઆરીએ સાંજે 4:30 વાગ્યે સમાપ્ત થશે. આવી ઉદયતિથિ અનુસાર 18મી જાન્યુઆરીએ ષટ્તિલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે પૂજાનો શુભ સમય સાંજના 4 વાગ્યા સુધીનો છે.

ષટ્તિલા એકાદશીની પૂજા વિધિ

ષટ્તિલા એકાદશીના દિવસે તલનું દાન વિશેષ મહત્વ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે 6 પ્રકારના તલ અથવા કાળા તલનું સેવન કરવું અને દાન કરવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળા તલનું દાન કરવાથી શનિ ગ્રહ શાંત રહે છે અને ભગવાન શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેમજ તલનું દાન કરવાથી વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે.

એકાદશીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું, સ્નાન વગેરે કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. પછી હાથમાં જળ લઈને ઉપવાસ કરવાનો સંકલ્પ કરો. જો તમે ઉપવાસ ન કરતા હોવ તો પણ તમારે નીતિ અને નિયમો અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મંદિરને સાફ કરો અને ભગવાન વિષ્ણુને શણગારો. ત્યારપછી ધૂપ, દીવો અને ફૂલ ચઢાવો. આ પછી એકાદશીની કથા વાંચો અને ભગવાન શ્રીકૃષ્ણને તલથી બનેલી મીઠાઈઓ અર્પણ કરો. ધ્યાનમાં રાખો કે આ દિવસે ચોખાનું સેવન વર્જિત છે.

આ સમાચાર પણ વાંચો:  શું તમે પણ સ્વેટર પહેરીને ઊંઘો છો? તો થઈ જાવો સાવધાન, સ્વાસ્થ્યને થઈ શકે છે આ મોટું નુકશાન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More